Abtak Media Google News

અમરેલીમાં  ‘આપ’ દ્વારા ભવ્ય ‘જન સંવાદ’ કાર્યક્રમ યોજાયો

આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી શહેરમાં આયોજિત જનસંવાદ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી આણંદ લોકસભા પ્રમુખ કરશનબાપુ ભાદરકા મુખ્ય અતિથિ રૂપે હાજર રહ્યા હતા. આ જનસંવાદ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના હોદેદારો, કાર્યકરો સહિત અમરેલી શહેર તથા તેની આજુબાજુના વિસ્તાર માંથી વડીલો, યુવાનો અને બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી ખુબ ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીના વિચારોને સહકાર આપ્યો હતો.

આ જનસંવાદ કાર્યક્રમ માં સામાન્ય જનતા સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. અલગ અલગ વ્યવસાય અને ખાસ કરીને ખેડૂતોએ તેમની સમસ્યા આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સમક્ષ રજુ કરી હતી. દરેક વ્યક્તિની સમસ્યા સાંભળી તેના ઉચિત નિવારણ માટે આમ આદમી પાર્ટી વતી અમરેલી જિલ્લાના લોકોને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો. અને જનસંવાદ માં હાજર લોકો પણ ઈસુદાન ગઢવીજી ની વાતો થી સહમત થયા હતા.

આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ હજારો લોકોને જનસંવાદ કાર્યક્રમ માં સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં આવનારી ચૂંટણી મહાભારતના યુદ્ધ જેટલી મહત્વપૂર્ણ હશે. આ ચૂંટણી ફક્ત ગુજરાતનો જ નહિ પરંતુ સંપૂર્ણ ભારતનો ઇતિહાસ બદલી દેશે. આજે સામાન્ય નાગરિક નું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. તમે જેણે ચુંટશો અને એ જેવા હશે તેવું જ શાસન ગુજરાત માં સ્થાપિત થશે.

દારૂ ની સમસ્યા કોઈ એક જગ્યા પૂરતી નથી,  આજે આખા ગુજરાતમાં દારૂની સમસ્યા છે.  બરવાળામાં  ઝેરી દારૂ પીવાના કારણે 55 વધુ લોકોના મૃત્યુ થયા પણ આ અસંવેદનશીલ સરકાર ચલાવનાર  મુખ્યમંત્રી,  ગૃહમંત્રી,  ભાજપના પ્રદેશ પ્રમુખ કે પ્રધાનમંત્રી એ હજુ સુધી એક ટ્વિટ કરીને પણ સંવેદના વ્યક્ત નથી કરી.

જે લોકોના મૃત્યુ થયા છે એ ભાજપના નેતાઓ ના કારણે થયા છે,  એમની હપ્તખોરી ના કારણે થયા છે. મૃતકોને અને તેમના પરિવારોને ન્યાય આપવાનું તો દૂર પણ તેમની સાથે સંવેદના પણ વ્યક્ત નથી કરી રહ્યા. ભાજપ સરકારના આવા સંવેદનહીન વલણને બિલકુલ ચલાવી લેવાય નહિ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.