- પહેલગામ હુમલામાં મોતને ભેટેલા ભાવનગરના પિતા–પુત્રની સ્મશાન યાત્રામાં ખૂદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા
- પરિવારજનોને સાંત્વના પાઠવી, સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવી હતભાગીની અંતિમ યાત્રામાં સામેલ થયા
જમ્મુ–કાશ્મીરના પહેલગામમાં ગત મંગળવારે પ્રવાસીઓ પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં ર8 નિર્દોષ નાગરીકોના મોત નિપજયા છે. ભાવનગરના પિતા–પુત્ર યતિનભાઇ પરમાર અને સ્મીતભાઇ પરમારને આતંકવાદીઓએ ગોળી ધરબી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઉપરાંત સુરતના શૈલેષભાઇ કળઠીયાનું પણ હુમલામાં મોત નિપજયું હતું. આજે ત્રણેય મૃતકોની ભાવનગર અને સુરત ખાતે અંતિમ વિધી કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં અશ્રભીની આંખો સાથે લોકો જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ભાવનગર ખાતે સદગતોની સ્મશાન યાત્રામાં જોડાયા હતા. તેઓએ હતભાગીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સુરત ખાતે શૈલેષભાઇની અંતિમ વિધીમાં કેન્દ્રીય જળ શકિત મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ અને ગુજરાત સરકારના ગૃહ રાજય મંત્રી હર્ષદભાઇ સંઘવી સામેલ થયા હતા.
જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે જમ્મુ–કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ ગઇકાલે રાત્રે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા. એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રી મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પહેલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત દિશાનિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા કરવામાં આવી હતી ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી લઈ જવાયા હતા. . મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
એરપોર્ટ પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમ સાંસદ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે પણ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પહેલગામમાં પ્રવાસીઓને તેઓનો ધર્મ પૂછી પૂછીને ગોળીઓથી વિંધી નાખવામાં આવ્યા હતા. આ આતંકી હુમલાની ઘટના બાદ દેશભરમાં ભારે જનાક્રોશ ફાટી નીકળ્યો છે. ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત નિપજયા છે. તેઓના પાર્થીવ દેહને ગઇકાલે ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા. આજે સવારે ત્રણેય હતભાગીઓની અંતિમ વિધી કરવામાં આવી હતી. સુરત ખાતે શૈલેષભાઇ કળથિયાની અંતિમ વિધીમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને રાજય સરકારના ગૃહ રાજય મંત્રી હર્ષદભાઇ સંઘવી ઉ5સ્થિત રહ્યા હતા જયારે ભાવનગર ખાતે પિતા–પુત્રની સ્મશાન યાત્રામાં ખુદ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સામેલ થયા હતા. તેઓએ હતભાગીઓના પરિજનોને સાંત્વના આપી હતી.
પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં ભારે જનાકોશ ફાટી નીકળ્યો છે. કેન્ડલ માર્ચ, પુતળા દહન, મૌન રેલી સહિતના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. રાજય સરકાર પણ આતંકી હુમલામાં મોતને ભેટેલા હતભાગીઓ અને ઘાયલોની વહારે આવી છે. મૃતકોના પરિવારજનોને પાંચ લાખની સહાય અને ઘાયલોને પ0 હજારની સહાય ચૂકવવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીએ હતભાગીઓના ઘરે જઈ મૃતકનાપરિવારજનોને સાંત્વના પાઠવી: સંવેદના વ્યક્ત કરી
જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા–પુત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે. તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે હતભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થ પિતા–પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીની સાથે કેન્દ્રિય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર ડો. મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, રેન્જ આઇ.જી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા–પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.