Abtak Media Google News
  • 1960માં ‘હમ હિન્દુસ્તાની’થી ડેબ્યૂ કરનાર આ કલાકારની પ્રથમ ફિલ્મ હિરો તરીકે ‘નિશાન’ હતી: 1968માં સંઘર્ષ ફિલ્મમાં દિલિપકુમારની વિરૂધ્ધ ભૂમિકા ભજવી હતી: 1970માં ફિલ્મ ‘ખીલોના’એ તેમને સ્ટાર બનાવ્યા
  • શોલે ફિલ્મના ઠાકુરના પાત્રએ તેમને અમર બતાવી દીધા હતા: ભારતીય સિનેમાના સર્વકાલિન સાત મહાન અભિનેતામાં તેની ગણના થાય છે: આ એક જ કલાકાર એવા હતા કે તેને તેની ઉંમર કરતાં મોટી ઉંમરના પાત્રો જ મળ્યા: રોમેન્ટિક ડ્રામાથી લઇને થ્રિલર સુધીના તમામ શૈલીમાં તેમણે અભિનય કર્યો હતો

1 4

‘મુજે સિર્ફ ગબ્બર ચાહીએ’ આ ડાયલોગ બોલીવુડની સૌથી સફળ ફિલ્મ ‘શોલે’નો છે, ડાયલોગ અને ફિલ્મ યાદ માત્ર કરો ત્યાં ઠાકુરનું પાત્ર યાદ આવે, સંજીવ કુમાર યાદ આવે. મૂળ ગુજરાતી કલાકાર હરિહર જેઠાલાલ જરીવાલા મુંબઇ જઇને બોલીવુડના મહાન કલાકાર સંજીવકુમાર બની ગયા. તેમનો જન્મ 9 જુલાઇ 1938 અને અવસાન 6 નવેમ્બર 1985માં થયું હતું. એક સર્વેના અહેવાલ મુજબ ભારતીય સિનેમાના સર્વકાલીન સાતમા મહાન અભિનેતામાં સંજીવ કુમારની ગણના થાય છે. તેણે રોમેન્ટિક ડ્રામાથી લઇને થ્રીલર સુધીની તમામ શૈલીમાં અભિનય કર્યો હતો. બોલીવુડના આ એકમાત્ર કલાકાર છે. જેમણે તેની ઉંમર કરતા મોટી ઉંમરના પાત્રોમાં અભિનય કરીને દર્શકોના દિલ જીત્યા હતા. દસ્તક (1970) અને કોશિશ (1972) આ બન્ને ફિલ્મો માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. સંજીવ કુમારને કોઇ પાત્ર ભજવવામાં વાંધો ન હોવાથી નિર્માતાએ તેમને હિરો, ચરિત્રતા અભિનેતા, વિલન જેવા ઘણા રોલ કરવાની તક આપી હતી.

1 1

1960માં આવેલી ફિલ્મ ‘હમ હિન્દુસ્તાની’થી સંજીવ કુમારે બોલીવુડ યાત્રા શરૂ કરતી હતી, જો કે હિરો તરીકેની તેમની પ્રથમ ફિલ્મ ‘નિશાન’ હતી. 1968માં આવેલી ‘સંઘર્ષ’ ફિલ્મમાં મહાન અભિનેતા દિલિપ કુમારની વિરૂધ્ધ રોલ કરીને તેની અભિનય ક્ષમતા બતાવી હતી. 1970માં આવેલી ફિલ્મ ‘ખીલોના’એ તેમને સ્ટાર બનાવ્યા. શોલે, ત્રિશુલ, જાની દુશ્મન જેવી ખ્યાતનામ ફિલ્મો તેના નામથી ઓળખાય છે. તેઓ તેમની બહુ મુખી પ્રતિભા અને તેમના પાત્રોને વાસ્તવિક ચિત્રણ માટે આજે પણ લોકો તેના ચાહકો આ મહાન કલાકારને યાદ કરે છે. સુરતમાં એક ગુજરાતી પરિવારમાં જન્મેલ સંજીવકુમાર નાની વયે જ મુંબઇ પરિવાર શિફ્ટ થતાં બોલીવુડ નગરીમાં જ શિક્ષણ લીધું હતું. ગુજરાતની કલાકારોમાં સૌથી સફળ બોલીવુડની ફિલ્મોમાં એકમાત્ર સંજીવકુમારનો નંબર આવે છે.

ફિલ્મ અભિનય શિખવતી સ્કુલમાં એક સ્ટંટ કર્યો તેને આ વાત જ ભારતીય સિનેમામાં લઇ ગઇ હતી. તેને બે નાના ભાઇ અને એક બહેન હતી. પ્રારંભે રંગમંચની દુનિયા સાથે જોડાઇને ઘણા નાટકોમાં કામ કર્યું હતું. ઈંઙઝઅ સાથે જોડાયા બાદ માત્ર 22 વર્ષની ઉંમરે આર્થર મિલરની ‘ઓલ માયસન્સ’ના રૂપાંતરણ થયેલા નાટકમાં વૃધ્ધ માણસની ભૂમિકા ભજવી હતી, બાદમાં એ.કે.હંગલના નિર્દેશનમાં ‘ડમરૂ’ નાટકમાં તેણે ફરીથી છ બાળકો સાથે 60 વર્ષના વૃધ્ધની ભૂમિકા ભજવી હતી. 1960માં આવેલી ફિલ્મ ‘હમ હિન્દુસ્તાની’માં નાનકડી ભૂમિકાથી કારકિર્દી શરૂ કરી હતી. હિરો તરીકે તેની પ્રથમ ફિલ્મ ‘નિશાન’ હતી. પ્રારંભે જ તેમણે દિલિપકુમાર, શમ્મી કપૂર અને સાધના જેવા મહાન કલાકારો સાથે કામ કર્યું હતું.

1 2

ગુજરાતી ફિલ્મમાં પણ સંજીવકુમારનો દબદબો રહ્યો હતો. 1966માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કલાપી’ અને 1968માં આવેલી ‘મારે જાવું પેલે પાર’ જેવી ફિલ્મોમાં પદ્મારાણી અને અરૂણા ઇરાની સાથે કામ કરીને ગુજરાતી દર્શકોના દિલ જીતી લીધા હતા. 1970માં આવેલી ‘ખીલોના’એ સંજીવકુમારને રાષ્ટ્રીય ઓળખ અપાવી હતી. તેણે 1972માં ઇન્ડો-ઇરાનીયન ફિલ્મ ‘સુબહ ઔર શામ’ ભૂમિકા ભજવી ત્યારે ગુલઝારે તેના અભિનયની પ્રશંસા કરી હતી.

આ પછીના સમયગાળામાં ગુલઝારે તેની પરિચય (1972), કોશીશ (1973), આંધી (1975), મૌસમ (1975)માં વૃધ્ધ પુરૂષની ભૂમિકામાં કાસ્ટ કર્યા હતા. આ તમામ ફિલ્મોમાં સંજીવ કુમારના અભિનયની ક્ષમતા અંગે ચર્ચા થવા લાગી હતી જો કે ગુલઝારે અંગુર (1981), નમકીન (1982) જેવી બે ફિલ્મોમાં યુવા હીરો તરીકે સંજીવ કુમારને રજૂ કર્યા હતા. બહેરા-મૂંગા વ્યક્તિના અનુકરણીય ફિલ્મ ‘કોશિશ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ બાદ સીતા ઔર ગીતા (1972), મનચલી (1973), આપ કી કસમ (1974) જેવી ફિલ્મોમાં કામ કયુર્ર્ં.

1 10

સંજીવકુમારે પ્રખ્યાત તમિલ અભિનેત્રી એલ.વિજયાલક્ષ્મી સાથે ત્રણ ફિલ્મો કરી જેમાં હુશ્ન ઔર ઇશ્ક અને બાદલ જે બન્ને હીટ હતી ને એક ફિલ્મ ‘અલી બાબા ઔર 40 ચોર’ અસફળ રહી હતી. 1968માં આવેલી રાજા ઔર રંક, બાદ કંગન, રિવાઝ, જિંદગી, બેરહમ, અર્ચના, દોલડકીયાં જેવી ફિલ્મો કરી હતી. તેમણે માલાસિંહા, તનુજા, લીના ચંદાવકર, મૌસમી ચેટર્જી અને સુલક્ષણા પંડિત સાથે પણ મુખ્ય હિરો તરીકે ફિલ્મો કરી હતી.

સંજીવકુમારની સૌથી યાદગાર ભૂમિકા શોલે (1975) અને ત્રિશુલ (1978) હતી. તેમણે ધર્મેન્દ્ર, અમિતાભ, શશીકપૂર અને રાજેશ ખન્ના સાથે ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કરીને ફિલ્મોને સફળ બનાવી હતી જે ફિલ્મો વિધાતા, આપ કી કસમ હતી. તેમણે મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, સિંધી અને ગુજરાતી સહિત વિવિધ પ્રાદેશીક ભાષાઓમાં ઘણી ફિલ્મો કરી હતી. બોલીવુડમાં તેમના નજીકના મિત્રોમાં સુનિલ દત્ત, શમ્મી કપૂર, રાજેશખન્ના, શશીકપૂર, અમિતાભ બચ્ચન, શર્મિલા ટાગોર, તનુજા, દેવેન વર્મા, શિવાજી ગણેશ, શત્રુઘ્નસિંહા અને સારીકા હતા.

પ્રથમ હાર્ટએટેક બાદ યુ.એસ.માં બાયપાસ કરાવ્યા બાદ ફરી હુમલો આવતા માત્ર 47 વર્ષે આ મહાન કલાકારનું નિધન થયું હતું. સંજીવ કુમાર આખી જીંદગી કુવારા રહ્યા હતા જો કે હેમા માલીની, સુલક્ષણા પંડિત સાથે પ્રેમ પ્રસ્તાવની વાત હતી પણ આગળ ન વધતા એકલા જ રહ્યા હતા. તેમને ફિલ્મ દસ્તક, કોશિશ માટે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને ફિલ્મ શિકાર, ખિલોના, શોલે, આંધી, મૌસમ, યે હી જીંદગી, દેવતા, ત્રિશુલ, વિધાતા, અંગુર જેવી ફિલ્મો માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. ગુજરાતી નાટક ‘કોઇનો લાડકવાયો’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.

1 81 9

સુરતના એક રોડનું નામ ‘સંજીવકુમાર માર્ગ’ રાખેલ છે જેનું ઉદ્ઘાટન જાણિતા અભિનેતા સુનિલદત્તના વરદ્ હસ્તે થયેલ હતું, જો કે એક શાળા પણ તેમના નામથી ચાલે છે. સુરતના ઓડિટોરિયમને પણ તેના નામ સાથે જોડ્યું છે. જેનું 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરેલ હતું, જેઓ ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા. સંજીવકુમાર ફાઉન્ડેશન એક રાષ્ટ્રીયસ્તરની સંસ્થા છે જે બાળકોના શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સંભાળ, સંસ્કૃતિ અને પોષણ ઉપર કાર્ય કરે છે. આ ફાઉન્ડેશન દ્વારા 2015થી સુરત મહાપાલિકા દ્વારા દર વર્ષે નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

ફિલ્મ શોલેમાં ઠાકુર બલદેવસિંહનું પાત્ર

શોલે' માં કવ્વાલી પણ હતી | Chitralekha

સંજીવકુમાર બોલીવુડના મહાન અભિનેતા પૈકી એક હતા, જેમને શોલે ફિલ્મના ઠાકુર બલદેવસિંહના પાત્રએ અમર બનાવી દીધા હતા. 1960માં હમ હિન્દુસ્તાની ફિલ્મમાં નાનકડી ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવ્યા બાદ ફિલ્મમાં તમામ પ્રકારનાં રોલ ભજવીને દર્શકોના દિલમાં રાજ કર્યું. ડબલરોલ તો કર્યા પણ એક જ ફિલ્મમાં નવ રોલ કરીને રેકોર્ડ બ્રેક અભિનય કર્યો હતો. તેમના અવસાન બાદ રિલીઝ થયેલી તેમની છેલ્લી ફિલ્મ ‘પ્રોફેસર કી પડોશન’ હતી. તેમના ભાઇ કિશોર જરીવાલા સંગીત નિર્દેશક છે તો બીજા ભાઇ જાણીતા નિર્માતા નકુલ જરીવાલા છે. તેમની બહેન પણ લીલા જરીવાલા અભિનેત્રી છે. ગુલઝાર અને સંજીવકુમાર ગાઢ મિત્રો હતા. ‘નયાદીન નઇ રાત’ ફિલ્મમાં સંજીવકુમારે કારકિર્દીની સૌથી પડકારજનક ભૂમિકા ભજવીને નવ અલગ-અલગ પાત્રો ભજવ્યા હતા. સંજીવકુમાર પોતાના ઘરે રાત્રે બધા સ્ટાર મિત્રોને બોલાવીને પાર્ટી કરતા હતા. તેમના અવસાન બાદ તેમની 10 જેટલી ફિલ્મો રિલીઝ થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.