Abtak Media Google News

રાજયમાં લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા 22 જેટલા પીએસઆઇની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. અતુલ સોનારાની અમદાવાદ શહેર અને એસ.વી.સાખરાની સુરત શહેર ખાતે બદલી કરવામાં આવી છે.

બદલી થયેલા પીએસઆઇમાં પૂર્વ કચ્છના જગદીશભાઇ ગઢવીને પશ્ર્ચિમ રેલવે અમદાવાદ, કુલદિપસિંહ જાદવને આણંદથી વડોદરા શહેર, તેજેન્દ્રસિંહ ગઢવીને આણંદથી રાજકોટ શહેર, શોભાબેન ચૌધરીને અમદાવાદ શહેરથી અમદાવાદ ગ્રામ્ય, દશરથભાઇ ભુરાને આણંદથી એસસીઆરબીમાં, ધર્મેન્દ્રસિંહ ચૌહાણને સુરેન્દ્રનગરથી આઇબીમાં, ઇશ્ર્વરભાઇ દેસાઇને મહેસાણાથી આણંદ, રાજાભાઇ ખટાણાને રાજકોટથી ભરૂચ, અલ્કેશકુમાર ગઢવીને પોરબંદરથી આઇબીમાં, ગીરીરાજસિંહ જાડેજાને સુરતથી આઇબીમાં, સુનિલકુમાર પરમારને અમદાવાદ રેલવેમાંથી વલસાડ, આત્મારામ દેસાઇને વલસાડથી બનાસકાંઠા, કેતનાનંદ નિરંજનને વડોદરા રેલવેમાંથી આહવા-ડાંગ, સમીર મંધરાને ગીર સોમનાથથી જૂનાગઢ, અશ્ર્વિનકુમાર તડવીને અમદાવાદ શહેરથી પંચમહાલ, હીનાબેન વાઘેલાને પૂર્વ કચ્છથી મહિસાગર, અનિલકુમાર ગામીતને અમદાવાદથી સુરત શહેર, સાખરા સામરાભાઇ વાલાભાઇને રાજકોટ શહેરથી સુરત શહેર,મીલનબેન ચૌધરીને આણંદથી ગાંધીનગર, અલ્કાબેન ઠાકોરને રાજકોટ ગ્રામ્યથી જી-2 શાખા ડીજી કચેરી અને કમલાબેન ગામીતને આહવા-ડાંગથી સુરત શઙેર ખાતે બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.