Abtak Media Google News

અબતક-રાજકોટ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે 66માં જન્મદિન નિમિતે સવારે ધર્મપત્ની શ્રીમતી અંજલિબેન રૂપાણી સાથે ધ્યાન શંકર પ્રગટેસ્વર મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.તેઓએ રાજકોટમાં યોજાનારા બે સેવાસેતુનો આરંભ કરાવ્યો હતો.આ ઉપરાંત મિયાવાંકી ફોરેસ્ટનું લોકાર્પણ પણ કર્યું હતું.સેવાસેતુમાં ઘરઆંગણે લોકોને સરકારી સેવાઓનો લાભ મળ્યો હતો. વાગુદડ રોડ ખાતે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના જન્મદિનના શુભ અવસરે  મહાપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું.ગત વર્ષે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના 65માં જન્મદિનના શુભ અવસરે મિયાવાંકી ફોરેસ્ટમાં 8358 ચો.મી. જગ્યામાં જુદા જુદા 6 બ્લોકમાં કુલ 23725 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ છે. આ મિયાવાંકી ફોરેસ્ટમાં પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.

પર્યાવરણ સુધરે, શહેર રહેવા લાયક બને તે માટે સ્થાનિકે ઉછેર પામતા બહુ વર્ષાયુ અને ઓછા નિભાવ ખર્ચ વાળા  વૃક્ષોનું  જે તે જગ્યાઓને અનુરૂપ વાવેતર કરવામાં આવે છે. વૃક્ષારોપણ કરી અને તેની નિયમિત જાળવણી નિભાવણી કરવામાં આવે છે. આ કામગીરીમાં બહોળા પ્રમાણમાં  જનસહયોગ પણ પ્રાપ્ત થાય છે. શહેરમાં તેમજ ભાગોળેના વિસ્તારમાં હરિયાળીનો મહતમ વ્યાપ વધે તેમજ શહેર પ્રાકૃતિક બને તેવા આશયથી શહેરના પશ્વિમ વિસ્તારના ન્યારીડેમ-1,ના નિચાણ વાળા ભાગે રાજ્ય સરકાર તરફ્થી ફાળવવામાં આવેલ અંદાજીત 19-હેકટર જમીન કે જે તદ્દન પથરાળ અને શુષ્ક પ્રકારની હોય, આ જમીનના વિસ્તારમાં  વર્ષ 2006માં પ્રારંભિક તબ્બકે  ઘનિષ્ઠ  વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રારંભિક તબ્બકે આ જમીનને આરક્ષિત કરવાના હેતુસર કામગીરીઓ કરી તેમા બહુ વર્ષાયુ સદાહરિત વૃક્ષોનુ વાવેતર કરવામાં આવેલ છે. આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી નિભાવણી માટે ન્યુનત જગ્યાના  મહતમ ઉપયોગ કરી સ્થાનિકેના ફ્લોરા  ફોન્ના ના આરક્ષણ અને સવર્ધન-વિસ્તરણ માટે ન્યારી ડેમની આ શુષ્ક અને પથરાળ  જગ્યામાં જન સહયોગ થકી જાપાનીઝ ટેકનોલોજી મુજબથી મિયાવાકી- થીમ આધારીત ફોરેસ્ટ  ઉભુ કરવાની પ્રાંરભિક તબ્બકે વર્ષ 2020માં અંદાજીત 1 એકરની આ કામગીરીમાં જુદીજુદી જાતના વૃક્ષ,શ્રબ ક્ષુપ,લતાઓ વિગેરેની (111) જાતના અંદાજીત 9500 પ્લાન્ટ્સના વાવેતર કરી અને કાયમી રૂપમાં જતન કરવામાં આવી રહ્યુ છે.

Img 20210802 Wa0009

આ કામગીરીમાં લોક સહકારના રૂપમાં  સદ-ભાવના વૃધ્ધાશ્રમ- ટ્રસ્ટ તરફ્થી કરવામાં આવ્યુ છે.  આ ઉપરાંત આ વિસ્તારના અંદાજ 2 એકર જેટલી ખાલી જગ્યાના પથરાળ ભાગોએ જુદી જુદી જાતના અંદાજીત 26000 વૃક્ષ,શ્રબ,ક્ષુપ,લત્તાઓ વિગેરે પ્રકારના પ્લાન્ટ્સ મિયાવાકી થીમ આધારીત આ ફોરેસ્ટના ભાગે વાવેતર કરવામાં આવશે. જેના કારણે ભવિષ્યમાં પ્રાકૃતિક સંપદામાં વધારો થશે. આ ઉપરાંત રાજકોટ અમદાવાદ- નેશનલ હાઇ -વે 8-ઇ ને લાગુ આજી નદીના પશ્વિમકાંઠે, ગ્રિન બેલ્ટ હેતુની અંદાજીત 153 એકર જમીન રાજ્ય સરકાર તરફ્થી રાજકોટ મહાનગરપાલિકાને ફાળવણી કરાયેલ આ જગ્યા પૈકીની 47 એકર જમીનમાં રામવન વિકસીત કરવામાં આવી રહ્યુ છે. આ જ્ગ્યાના ભુતલ ખુબજ પથરાળ અને સખત બંધારણના હોય, મહતમ પ્રમાણમાં માટી વિગેરે ઉમેરી ટોપોગ્રાફીને વિક્ષેપિત કર્યા વિના સ્થાનિકે વિકાસ પામતા અને યાયાવર પક્ષીઓની વિશેષ અનુકુલનતા ધરાવતા જુદી જુદી 28 થી 36 વિવિધ જાતના અંદાજીત 60000 થી વધુ સંખ્યામાં ઓછા નિભાવ ખર્ચ વાળા બહુ-વર્ષાયુ ટ્ર્રીઝ, શ્રબ્સ, ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તેમજ મેડિસિનલ -પ્લાન્ટ્સ વિગેરેનું જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવી રહ્યુ છે. આ જગ્યાને વિકાસકિય તબ્બકે રામવન નામકરણ આપવાનું નક્કી થતા આ વિસ્તારમાં ભગવાનશ્રી રામના વનવાસ દરમ્યાનના અંદાજીત્ 14 જેટલા પ્રસંગોને પ્રતિકૃત કરવામાં આવશે. જે માટેની કામગીરી ચાલુ કરાયેલ છે. આ અર્બન ફોરેસ્ટ રામવનના વિસ્તારમાં વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરવા માટે સ્થાનિકેના જમીનના ઉંડા ભાગો આવરીત કરી બોટીંગની સુવિધા પણ ઉભી કરવાનું આયોજન છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.