Abtak Media Google News

બેંક ફડચામાં જાય તો થાપણોની સુરક્ષા માટે આપવામાં આવતા વીમાથી ૪.૮ કરોડ ખાતાઓ વંચિત

બેંકમાં રહેલી ખાતેદારોની થાપણોની સુરક્ષા માટે વીમા કવચની જોગવાઈ કરવામાં આવી છે કોઈપણ સંજોગોમાં રાષ્ટ્રીયકૃત કે સંસ્થાકીય બેંક અને આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ જાય કે બેંકમાં ખર્ચાની સ્થિતિ ઉભી થાય ત્યારે થાપણદારોની મૂડીની સુરક્ષા માટે ડીઆઈસીજીસી  દ્વારા વીમા કવચ પ્રદાન કરવામાં આવે છે

રાષ્ટ્રીયકૃત બેન્કને બાદ અર્ધસરકારી, કોમર્શિયલ, કો-ઓપરેટીવ બેન્ક અને સહકારી ક્ષેત્રની બેંકોમાં દલા તરવાડી જેવી પરિસ્થિતિમાં ક્યારેક-ક્યારેક બેંકો આખેઆખી ફડચામાં ઉતરી જાય છે માધવપુર કોપરેટીવ બેંકની દેવાળું કાઢવાની ઘટના આપણી સામે જ છે બેંક ફડચામાં જાય ત્યારે થાપણદારોની થાપણ ડૂબી ન જાય તે માટે ડીઆઇસીજીસી દ્વારા થાપણનું વીમો આપવામાં આવે છે.

ડીઆઇસીજીસી દ્વારા આપવામાં આવતા થાપણના વીમાની યોજના ફેબ્રુઆરી ૪ ૨૦૨૦થી અમલમાં છે અત્યારે રૂપિયા ૧ લાખથી વધારીને રૂપિયા ૫,૦૦,૦૦૦ની થાપણ સુધી વીમો આપવામાં આવે છે.

થાપણની વિમાની આ યોજના અંગે તાજેતરમાં જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા વાર્ષિક અહેવાલમાં માર્ચ ૨૦૨૦-૨૧ સુધીમાં દેશમાં કુલ ૨૪૭.૮ કરોડ થાપણના ખાતાઓનું વીમો ઉતરાવવામાં આવ્યો છે જેની ટકાવારી ૯૮.૧/જેટલી થવા જાય છે હજુ કુલ ડિપોઝિટખાતાઓમાંથી ૪.૮ કરોડ આપણ વીમા કવચ વગર હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ડિપોઝિટ એન્ડ ક્રેડિટ્સ ગેરંટી કોર્પોરેશન દ્વારા ઉતારવામાં આવતા આ વીમો લેનાર થાપણદારોને બેંક ફડચામાં જાય કે બેંક ડૂબી જાય તો તેમની થાપણો ને વીમા કંપની દ્વારા પૂર્ણ ભરપાઈ કરવા સુધીની જોગવાઇ રાખવામાં આવી છે

અત્યારે રાષ્ટ્રીયકૃત બેંકોને બાદ કરતા ખાનગી અને ખાસ કરીને સહકારી ક્ષેત્રની બેંકોમાં વારંવાર ખર્ચાની સ્થિતિ ઊભી થઈ જાય છે માધવપુર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી જેવી ઘટનાઓમાં થાપણદારોની મૂડી ડૂબી જવાનો સતત ભય રહે છે તેવા સંજોગોમાં ડીઆઇસીજીસી દ્વારા થાપણનું વીમા કવચ મૂડીને સુરક્ષા કવચ પૂરું પાડે છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવાયુ છે કે, કુલ સુરક્ષિત થાપણોની સ્થિતિ ૨૦૨૧ સુધી ૭૬૨૧૨૫૮ કરોડ છે. માત્ર ૫૦.૯  ટકા જેટલી થાપણો વિમાથી સુરક્ષિત છે. કુલ થાપણ ભંડોળ રૂપિયા ૧,૪૯૬૭૭૭૬ કરોડ છે. હજુ ૪૯.૮ ટકા જેટલા થાપણદારોને વીમાનું કવચ મળ્યું નથી આવા થાપણો અત્યારે સંપૂર્ણપણે રામભરોસે ગણાય મોટાભાગે વિમા વગરની થાપણમાં પાંચ સહકારી બેંકો અને એક પ્રાદેશિક બેંકને વીમા કવચ વગર અલગ તારવવામાં આવી હતી.

૨૦૨૦-૨૧ ની પરિસ્થિતિમાં અત્યારે ૪૯ ટકાથી વધુ ખાતાઓ અને વીમા કવચની સુરક્ષા પ્રાપ્ત થઇ નથી ૨૦૨૦ના આ સમયગાળા દરમિયાન ૫૬૪ કરોડ રૂપિયાનું વળતર નવ જેટલી સહકારી બેંકના થાપણદારોને આપવામાં આવ્યું હતું. ખાનગી બેંકિંગ ક્ષેત્ર અત્યારે સ્પર્ધાત્મક સંઘર્ષની પરિસ્થિતિમાં છે ત્યારે વીમા કવચ આશીર્વાદરૂપ બની શકે છે લક્ષ્મી વિલાસ બેન્ક અને ડેવલોપમેન્ટ બેન્ક ઓફ સિંગાપુર ડીઆઇસી જેવા ખાનગી આર્થિક સંસ્થાઓને આ સ્કીમમાં જોડવામાં આવી છે બેંક થાપણદારોની સુરક્ષા માટે આશીર્વાદરૂપ બની રહી છે.

તમારે જાણવું છે? તમારી થાપણ સુરક્ષીત છે કે કેમ?

થાપણદારોની થાપણોને વીમાનું સુરક્ષિત કવચ આપતી ડીઆઇસીજીસી તમામ કોમર્શિયલ બેંક અને રાષ્ટ્રીયકૃત બેંકો અર્ધસરકારી બેંકો સહકારી બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  ૨૦૨૧ માં ૧૩૯ કોમર્શિયલ બેંક જેમાં ૪૩ પ્રાદેશિક સહકારી બેંકો બે સ્થાનિક બેંકો અને પેમેન્ટ બેંક ૧૦ જેટલા લઘુ વિકાસ બેંક અને ૧૯૧૯ બેંકોનું સમાવેશ થાય છે તમારું ડિપોઝિટ ખાતુ વિમાથી સુરક્ષિત છે કે કેમ તે માટે તમારે https://www.dicgc. org.in/FD_ListOfinsured Banks.htmlની વેબસાઈટ પર જઈને તમારી થાપણની સુરક્ષા અંગે જાણકારી મેળવી શકાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.