Abtak Media Google News

ખુદ આચાર્યએ જ તરકટ રચ્યું હોવાની ઓડીયો કલીપ વાયરલ થતા ખળભળાટ

હળવદની મેરૂપર કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયની 17 વિદ્યાર્થિનીઓની નો મામલો ખુદ આચાર્ય જ વિદ્યાર્થીઓ પાસે કરાવ્યું હતું ભાગવાનું નાટક સમગ્ર મામલે ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ મચી જવા પામી છેક્ષિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના હળવદ તાલુકાના મેરૂપર ગામે આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં બની હતી.વિદ્યાલયની 17 વિધ્યાર્થીનીઓને માનસીક શારીરીક ત્રાસ આપવાથી તબિયત લથડી હોવાનો આક્ષેપ થયો હતો જે બાબતે નવો જ વળાંક આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

વિદ્યાર્થિનીઓના વાલીઓ વિધાથીરઓને ધરે લઈ ગયા હતા.ત્યાં થયો નવો ઘટસ્ફોટ આચાર્ય એ જ વિદ્યાર્થીઓને ઉપયોગ કરી શિક્ષિકા પર માર મારવાનો આક્ષેપ કરાવ્યો હોવાનો્ ઓડીયો કીલીપ વાયરલ થયો છે. આચાર્ય અમૃતાબેન  ખુદ બે શિક્ષિકાને વિદ્યાલયમાંથી કઢાવવા સમગ્ર તરકટ રચ્યું હતું. ઘરે પહોંચ્યા બાદ વિદ્યાર્થીનીઓને શિક્ષિકાને ફોન કરીને જણાવ્યું હતું કે આચાર્યના કહેવાથી અમે તમારા પર ખોટો આક્ષેપ કર્યો હતો. જ્યારે  બીજી બાજુ એ શિક્ષિકા ના પિતાએ  સિક્યુરિટીને ને ધમકાવતા   હોવાનો ઓડીયો વાયરલ થયો છે.આ સમગ્ર ધટના નો ઓડીયો હાલ માં હળવદ પંથકમાં ટોપ ઓફ ધી ટાઉન બની ચચોઈ રહ્યોછે.જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા  આવે તેવી માંગ વાલીઓમાં  ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.