હર હર હર શિવ ઓમ નમ: શિવાય. હર હર હર શિવ, હર હર હર શિવ. શિવોહમ, શિવોહમ, જી હા, પવિત્ર શ્રાવણના પ્રથમ સોમવારે રાજકોટ શહેરનાં નાના-મોટા સહુ શિવ મંદિરો શિવમય બની ગયા હતા. કેમ કે, સહુ કોઈ સ્પેશ્યલી શણગારાયેલા શિવલિંગના દર્શને દોડયા હતા. જાણે અમૃતનું ઝરણું વહેતુ હોય રાજકોટની રૈયત જેમ ખાવા પીવા માટે ‘કુખ્યાત’ છે તેટલી જ દાન ધરમ, ભકિતભાવ અને ધાર્મિક તહેવારોની ઉજવણી માટે પ્રખ્યાત પણ છે. શ્રાવણીયા સોમવારે જાગનાથ, પંચનાથ, ઈંદ્રેશ્ર્વર, ધારેશ્ર્વર, અમરનાથ, ભકિતધામ, કાશી વિશ્ર્વનાથ વિગેરે શિવ મંદિરોમાં આફ્રિકા કોલોનીમાં નિલકંઠ મહાદેવ મંદિરે ૧ લાખ ૨૫ હજાર ‚દ્રાક્ષનાં શિવલિંગ અને ૧૦૧ દીપ માળા આરતી કરાઈ હતી. ધારેશ્ર્વર મહાદેવ મંદિર (ભકિતનગર સર્કલ) ખાતે સંધ્યા આરતી ટાણે ભાવિકો શિવમય બની ગયા હતા. પંચનાથ અને જાગનાથ મંદિરે પણ લગભગ આવો જ માહોલ હતો. શ્રાવણમાં પૂણ્યની કમાણી કરવા લોકો વિવિધ બાધા આખડી રાખવા પણ મદિરે પહોચતા હોય છે. જેથી મનની મુરાદ જલ્દી પૂરી થાય.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા