Abtak Media Google News

હવે હાર્દિક પટેલ કોનો  પાલવ પકડશે? કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનીયા ગાંધીને રાજીનામું આપતો પત્ર લખી સોશિયલ મીડિયા પર શેર કર્યો

પાટીદાર  અનામત  આંદોલન થકી ગુજરાતમાં  હિરો બની ગયેલા અને  રાજનીતિમાં પગ પેસારો કરી કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ સુધીના ઉચ્ચ હોદા સુધી  પહોચેલા હાર્દિક  પટેલે  અંતે આજે સવારે  કોંગ્રેસના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના  રાષ્ટ્રીય  અધ્યક્ષા  સોનીયા ગાંધીને તેઓએ રાજીનામું આપતો પત્ર આપી સોશિયલ મીડીયા  પર વાયરલ કર્યો હતો  હવે હાર્દિક કોનો પાલવ પકડશે  તેના પર સૌની મીટ મંડાયેલી છે.

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં  હાર્દિકનો  હરિસર  ખાટો થઈ ગયો હતો. કાર્યકારી  પ્રદેશ અધ્યક્ષ હોવા છતાં હાર્દિકને  પુરતુ માન સન્માન મળતુ નહોવાના કારણે તેઓ કોંગ્રેસની ટીકા અને ભાજપના વખાણ કરતા હતા તાજેતરમાં  તેઓએ  નરેશભાઈ પટેલ સાથષ એક મહત્વપૂર્ણ બેઠક  યોજી હતી. બેઠકના ત્રણ દિવસ  બાદ હાર્દિકે  કોંગ્રેસના  પ્રાથમિક  સહિતના તમામ   સભ્યો પરથી રાજીનામું ફગાવી દીધું છે. આ  ઘટના પરથી  બીજી એક વાત  પણ પ્રસ્થાપીત  થઈ છે કે  હવે નરેશભાઈ પટેલપણ કોંગ્રેસનો  પંજો પકડે તે સંભાવના નહિવત થઈ જવા પામી છે.

હવે હાર્દિક પટેલ કયાં પક્ષનો  પાલવ પકડશે  તેના પર રાજકીય  પંડિતોની મીટ મંડાયેલી રહેશે હાર્દિકનો ઝુકાવ ભાજપ તરફ વધુ છે. પરંતુ ભૂતકાળમાં  હાર્દિકના  કારણે પક્ષને  થયેલી નુકશાની ને ધ્યાનમાં  રાખી ભાજપ હાર્દિકને  કેસરીયા કરાવે તેવી સંભાવના પણ ખૂબજ ઓછી છે.  હવે તેના માટે એક માત્ર  ‘આપ’માં જવા સિવાય કોઈ  વિકલ્પ  બચ્યો નથી. લોકો હંમેશા ઉગતા સૂર્યની પૂજા કરે છે. હાર્દિકનો  સૂર્ય આથમી રહ્યો આવામાં વિધાનસભા  2017ની ચૂંટણીમાં જેને હાર્દિકના   કહેવાથી કોંગ્રેસે ટિકિટ  આપી હતી અને જે કાર્યકરો ધારાસભ્ય  બન્યા હતા.  તેને પણ હવે હાર્દિક  તરફથી મોઢુૂ ફેરવી લીધું છે.  હાર્દિકની રાજકીય  કારકિર્દીનો અકાળે સૂર્યાસ્ત થઈ જશે તે સમય જ બતાવશે.

કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને સંબોધીને  લખેલા પત્રમાં હાર્દિક પટેલે જણાવ્યુંં છે કે, ઘણા પ્રયત્નો પછી પણ કોંગ્રેસ પક્ષ દ્વારા દેશ અને સમાજના હિતની તદ્દન વિરુદ્ધના કાર્યોને કારણે કેટલીક બાબતો તમારા ધ્યાન પર લાવવી અત્યંત જરૂરી બની ગઇ છે.

આ 21 મી સદી છે અને ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. દેશના યુવાનોને સક્ષમ અને મજબૂત નેતૃત્વ જોઇએ છે . છેલ્લા લગભગ 3 વર્ષમાં મેં જોયું છે કે મેં જોયું છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ પુરતી સીમિત રહી ગઈ છે, જ્યારે દેશની જનતાને એવા વિકલ્પની જરૂર છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે , દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે . અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર હોય , ઈઅઅ – ગછઈ નો મુદ્દો હોય , જમ્મુ – કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય કે ૠજઝ લાગુ કરવાની હોય , દેશ લાંબા સમયથી તેનો ઉકેલ ઇચ્છતો હતો અને કોંગ્રેસ પાર્ટી માત્ર તેમાં અડચણરૂપ બનવાનું કામ કરતી રહી . ભારત હોય ગુજરાત હોય કે મારો પાટીદાર સમાજ હોય દરેક મુદ્દે કોંગ્રેસનું સ્ટેન્ડ કેન્દ્ર સરકારનો વિરોધ કરવા પૂરતું જ સીમિત રહ્યું દેશના લગભગ દરેક રાજ્યમાં કોંગ્રેસને જનતાએ નકારી કાઢી છે કારણ કે કોંગ્રેસ પક્ષ અને પક્ષનું નેતૃત્વ જનતા સમક્ષ પાયાનો રોડમેપ પણ રજૂ કરી શક્યું નથી.

કોંગ્રેસ પક્ષની ટોચની નેતાગીરીમાં કોઇપણ મુદ્દા પ્રત્યે ગંભીરતાનો અભાવ એ મોટો મુદ્દો છે . હું જ્યારે પણ પાર્ટીની ટોચની નેતાગીરીને મળતો ત્યારે એવું લાગતું હતું કે તેઓનું ધ્યાન ગુજરાત અને પક્ષની જનતાની સમસ્યાઓ સાંભળવા કરતાં તેમના પોતાના મોબાઈલ અને અન્ય બાબતો પર વધારે રહેતું . જયારે પણ દેશ મુશ્કેલીમાં હતો કે કોંગ્રેસને નેતૃત્વની સૌથી વધુ જરૂર હતી ત્યારે અમારા નેતાઓ વિદેશમાં હતા . ટોચનું નેતૃત્વ ગુજરાત પ્રત્યે એવું વર્તન કરી રહ્યું છે કે જાણે તેઓ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતા હોય . તો કોંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખે છે કે ગુજરાતની જનતા તેમને વિકલ્પ તરીકે જોવે

દુ:ખ થાય છે જયારે અમારા જેવા કાર્યકરો પોતાની ગાડી લઈને રોજના 500-600 કિમીનો પ્રવાસ પોતાના ખર્ચે કરે છે , લોકોની વચ્ચે જાય છે અને ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્ર્નોથી દૂર રહે છે અને માત્ર એ બાબત પર વધારે ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં . હું જ્યારે પણ યુવાનો વચ્ચે જતો ત્યારે બધાએ એક જ વાત કહી કે તમે આવી પાર્ટીમાં કેમ છો , જે દરેક રીતે ગુજરાતીઓનું જ અપમાન કરે છે . પછી ભલે તે ઉધોગ ક્ષેત્રે હોય , ધાર્મિક ક્ષેત્રમાં હોય કે પછી તે રાજકારણના ક્ષેત્રમાં હોય . મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ પણ યુવાનોનો ભરોસો તોડ્યો છે , જેના કારણે આજે કોઈ યુવા કોંગ્રેસ સાથે પોતાને જોવા પણ નથી માંગતો.

મારે અત્યંત દુખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં દરેક વ્યક્તિ જાણે છે કે કેવી રીતે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઇને ગુજરાતની જનતાના પ્રશ્ર્નોને નબળો પાડ્યો છે અને તેના બદલામાં પોતે જ મોટો આર્થિક કાયદો ઉઠાવ્યો છે . રાજકીય વિચારધારા ભલે જુદી હોય , પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ રીતે વેચાઇ જવું એ રાજ્યની જનતા સાથે મોટો વિશ્વાસઘાત છે.

રાજકારણમાં સક્રિય દરેક વ્યક્તિનો ધર્મ હોય છે કે જનતા માટે કામ કરતા રહે , પરંતુ અફસોસની વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતા માટે કંઈ જ સારું કરવા માંગતી નથી . તેથી જ્યારે પણ હું ગુજરાતની જનતા માટે કંઈક કરવા માંગતો હતો ત્યારે પાર્ટીએ મારી અવગણના જ કરી છે . મેં ક્યારેય વિચાર્યું નહોતું કે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ અમારા રાજ્ય , અમારા સમાજ અને ખાસ કરીને યુવાનો પ્રત્યે આટલો દ્વેષ પોતાના મનમાં રાખે છે.

આજે ખૂબ હિંમત કરીને હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું . મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે . હું એમ પણ માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં સમગ્ર ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ . જનતા તરફથી મને મળેલ પ્રેમનું ઋણ હું હંમેશા ચૂકવવાનો પ્રયત્ન કરીશ .

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.