Abtak Media Google News

અબતક, રાજકોટ

કોરોના મહામારીના સમયગાળામાં  સામાજીક અને  મનોવિજ્ઞાનીન અસરોને લઈને વ્યાપક પ્રમાણમાં સર્વે ચાલે છે. સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના  મનોવિજ્ઞાનીક ભવનમાં કરેલા  સર્વેમાં  ડો.યોગેશ જોગાસણ, ડો. ધારા દોશી સહિતના અધ્યાપકોએ  મનોવિજ્ઞાનીક ભવનમાં કરેલા અધ્યયનમાં  બે પ્રકારની વૃત્તિ માણસમાં હોય છે જીવનવૃત્તિ અને મૃત્યુવૃત્તિ. જે માણસ સેવાભાવી છે તે જીવનવૃત્તિનો આધાર રાખે છે અને જે ભ્રષ્ટાચારી છે તે મૃત્યુવૃત્તિનો

સમાજમાં રહેતા લોકોનું ડો.ધારા દોશી અને ડો.યોગેશ જોગસણ દ્વારા મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું તો જોવા મળ્યું કે તાજેતરના સમયમાં બે પ્રકારના માણસો જોવા મળે છે. એક એવા જે આ મહામારીના સમયમાં પણ માનવતા દાખવી લોકોની કોઈ સ્વાર્થ વગર મદદ કરતા જોવા મળે છે. પરિવારની ચિંતા વગર પણ સતત સેવા કરવી એ જ એમનો ઉદ્દેશ્ય રહ્યો હોય. રેમડીસીવરના કાળા બજાર, સેનેટાઇઝ ના કાળા બજાર, ઓક્સિજન સિલિન્ડર સંગ્રહ, વેકસિન માં પણ ઘાલમેલ, ફળોના ભાવ આસમાને, રૂપિયા દેતા હોસ્પિટલમાં બેડ મળે વગેરે બાબતોએ માણસોની કાળી સાઈડ દેખાડી. માણસ મોત સામે  લડતો હોય છે ત્યારે બીજા રૂપિયા કમાવવાની લાલસા રાખતા હોય છે,  મોરબી મચ્છુ ડેમ દુર્ઘટના હોય કે કચ્છનો ધરતીકંપ આપણે લાશો ઉપરથી ઘરેણાં ઉતારી લીધેલા દાખલા જોયા છે. જ્યારે બીજા એવા લોકોજે કાળાબજાર કરી લોકોને આર્થિક, માનસિક, સામાજિક રીતે નીચોવી નાખવાનું કઈ બાકી નથી રાખતા.

માણસ જ્યારે જીવન મૃત્યુ વચ્ચે જોલા ખાઈ રહ્યો હોય ત્યારે સમાજ વિરોધી વ્યક્તિત્વ ધરાવનાર રેમડેસ્વીર ના કાળા બજાર કરે છે, ખોટી દવાઓ બનાવે છે અને મોત નો તાંડવ રચી રહ્યા છે. આ સમયે એક વિચાર આવે કે એવી માનવીની કઈ જરૂરિયાત જે માનવતા ને નેવે મૂકી પોતાનો જ સ્વાર્થ સિદ્ધ કરવાના સપના માં રાચે અને કોઈના જીવન સાથે ખેલ ખેલે. આ બાબત નું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે કે આ પ્રકારનું હલકું, હીન કૃત્ય માનવી શા માટે કરે છે? શા માટે કોઈના જીવન સાથે રમત રમી દવાઓની પણ કાળાબજારી કરે છે? તેના કારણો પર પ્રકાશ પાડવો ખૂબ જરૂરી છે.

*હાલના સમયમાં શા માટે દવા અને ઇન્જેક્શનની કાળાબજારી? શા માટે  ભાવો આસમાને પહોંચ્યા? મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ*

નૈતિકતાનું પતન

 નામથી જ સ્પષ્ટ થાય છે કે આચારનું પતન એ ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ  છે.  નીતિશાસ્ત્રમાં હંમેશા આચારનું પ્રતિનિધિત્વ કરવાનું કહ્યું છે.  કોઈનો નૈતિક ઉદય અથવા પતન તેના વર્તનને પણ પ્રભાવિત કરે છે.  નીતિની વાતો કરવી અને આચરણ કરવામાં બહુ તફાવત છે. આધુનિક શિક્ષણ પ્રણાલી અને સામાજિક વાતાવરણમાં બાળકોની નૈતિક ઉત્થાન માટેની જે બેદરકારી છે તે બાળકને અને તેના જીવનને અસર કરે છે.  જો નીતિ વ્યક્તિના વ્યક્તિત્વમાં હશે તો કોઈનું ખોટું કરતા પહેલા હજાર વખત વિચાર કરશે.

આર્થિક અસમાનતા

  દરેક માનવીની કેટલીક પાયાની જરૂરિયાતો હોય છે.  પૈસા અને જીવનનિર્વાહ માટેની સુવિધાઓ માટેની કેટલીક ન્યુનત્તમ આવશ્યકતાઓ છે.  છેલ્લા કેટલાક દાયકાઓમાં સમગ્ર વિશ્વમાં આર્થિક અસમાનતા ઝડપથી વધી છે.  શ્રીમંત સતત સમૃદ્ધ થતા જાય છે અને ગરીબોને તેમની આજીવિકા માટે સંઘર્ષ કરવો પડે છે.  જ્યારે વ્યક્તિની ન્યુનત્તમ આવશ્યકતાઓ સરળ રીતે પૂર્ણ થતી નથી, ત્યારે તે નૈતિકતા પરનો વિશ્વાસ ગુમાવે છે અને ક્યાંક ટકી રહેવા માટે અનૈતિક રહેવાની ફરજ પાડવામાં આવે છે.

સરળ રીત શોધવી

માનવીય સ્વભાવ છે કે ઓછામાં ઓછી મુશ્કેલી લઈને કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવા માંગે છે.  તે દરેક કાર્ય માટે ટૂંકા અને સરળ માર્ગ શોધવાનો પ્રયાસ કરે છે.  આના માટે બે રસ્તાઓ હોઈ શકે છે એક રસ્તો નૈતિકતાનો હોઈ શકે છે જે લાંબો અને હેરાન કરી શકે છે અને બીજો ટૂંકો પણ અનૈતિક માર્ગ છે.  લોકો તેમના ફાયદા માટે પસંદ કરેલી ટૂંકી રીતથી પોતે ભ્રષ્ટ થઈ જાય છે, તેઓ અન્યને પણ ભ્રષ્ટ થવા માટે પ્રોત્સાહિત કરે છે.

મહત્વાકાંક્ષા

મહ્ત્વકાંક્ષાને કારણે કેટલાક લોકો કૌભાંડો કરીને  પણ વધુ પૈસા મેળવવા માટે ઉત્સુક છે અને તેમની જરૂરુયાતો પૂર્ણ કરે છે.

અસંતોષ

જ્યારે વ્યક્તિને કોઈ અસંતોષ છે, ત્યારે તે ભ્રષ્ટ વર્તન કરવાનું શરૂ કરે છે.

સ્વાર્થ અને અસમાનતા

આર્થિક અને સામાજિક અસમાનતાને લીધે પણ વ્યક્તિ પોતાને ભ્રષ્ટ કરે છે.  હીનતા અને ઈર્ષ્યાનો ભોગ બનેલા લોકોને ભ્રષ્ટાચાર અપનાવવાની ફરજ પડે છે.  વળી લાંચ લેવી, ખોટું કરવું, સગાવાદ, સ્વાર્થ વગેરે ભ્રષ્ટાચારને જન્મ આપે છે.

આત્મમોહી વ્યક્તિત્વ વિકૃતિ

આ પ્રકારનું વર્તન ધરાવનાર વ્યક્તિ આત્મમોહી એટલે કે આત્મ મહત્વની ભાવના વધારે તીવ્ર ધરાવે છે. આવી વ્યક્તિ પોતાની જાતને વધુ મહત્વપૂર્ણ વ્યક્તિ સમજે છે અને પોતે જે કરે  એ જ યોગ્ય અને સાચું છે તેવી ભાવના રાખે છે.

અંત:કરણનો અપૂરતો વિકાસ

આવી વ્યક્તિનો બૌદ્ધિક વિકાસ ખૂબ સારો હોય એટલે કે ઈંચ લેવલ સારું હોય પરંતુ તેમનું અંત: કરણ એટલે કે આવેગો અને લાગણીઓ ઊચ ની માત્રા ખૂબ ઓછી જોવા મળતી હોય છે. પરિણામે આવા લોકો સામાજિક અને નૈતિક મૂલ્યોની અવગણના કરે છે. તે માત્ર પોતાના સ્વાર્થ ખાતર પોતે જે કરે એ સાચું છે તેમજ માને છે.

ચિંતા અને દોષભાવની ખામી/

 આવી વ્યક્તિમાં આવું નિષેધક વર્તન કરવાથી શુ થશે એની કોઈ ચિંતા નથી હોતી કે નથી કોઈ દોષભાવ હોતો. તેને કોઈ નિષેધક કાર્ય કર્યાની લાગણી કે અફસોસ નથી હોતો.

સામાજિક મૂલ્યોમાં પરિવર્તન કરવું

 ભ્રષ્ટાચાર અને કાળાાબજાર દૂર કરવાનો એક અસરકારક ઉપાય વર્તમાન સામાજિક મૂલ્યોમાં પરિવર્તન ક2વાનો પણ છે . વર્તમાન સમયમાં આપણા દેશમાં કે સમાજમાં સન્માન પ્રતિષ્ઠા ગૌરવ એવા લોકોને મળે છે જેની પાસે પૂરતી સંપતિ કે રૂપિયા છે . પછી ભલે તે પૈસા પ્રચારના માધ્યમથી મળ્યા હોય કે કોઈને લૂંટીને મળ્યા હોય. આ સામાજિક મૂલ્યથી નિષેધક લોકોને પ્રોત્સાહન મળે છે  આ સામાજિક પ્રતિષ્ઠા કે સામાજિક મૂલ્યોમાં પરિવર્તન લાવી આ કૃત્યને દૂર કરી શકાય છે . સમાજના લોકોએ કાળાબજાર કરનારને સન્માનની દષ્ટિએ ન જોવા જોઈએ પછી ભલે તે ગમે તેટલી સંપતિના માલિક હોય .

વિક્રેતામાં પ્રમાણિકતા

જ્યારે વિક્રેતામાં પ્રમાણિકતા ઉભી થાય ત્યારે ભ્રષ્ટાચાર કે કાળા બજારી દૂર થઇ શકે.

માનવીય વર્તન કેળવવુ

માનવી છીએ તો માનવીય અભિગમ દાખવવો ખૂબ જરૂરી છે. સ્વાર્થની પરાકાસ્થા એટલી પણ ન વધારવી કે માનવીય મૂલ્ય નું અસ્તિત્વ જ ન રહે.

ભ્રષ્ટાચારને નાબૂદ કરવું એ સહેલું કાર્ય નથી, પરંતુ તેનો અંત લાવવો ખૂબ જરૂરી છે નહિતર આપણા દેશનું સ્વતંત્ર અસ્તિત્વ જોખમમાં છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.