Abtak Media Google News

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને હેલ્થડ્રીંકના ૧૩૪૪ પેકેટ અર્પણ કરાયા

નેસ્લે ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા સતત કાર્યરત કોરોના વોરિયર્સ પોલીસકર્મીઓ માટે કંપની દ્વારા નિર્મિત માઈલો હેલ્થડ્રીંકના ૧૩૪૪ પેકેટ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને અર્પણ કરવામાં આવ્યા હતા. આ અંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વ જ્યારે કોરોના વાયરસની મહામારીમાં સપડાયું છે ત્યારે પોલીસકર્મીઓ પોતાના સ્વાસ્થ્યને, પોતાના જીવને જોખમમાં મૂકીને સતત કાર્યરત છે. નેસ્લે ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા આ પોલીસકર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને તેમના માટે જે  હેલ્થડ્રીંક પેકેટ અર્પણ કરાયા છે તે માટે નેસ્લે કંપનીના  પ્રશંસનીય પગલાં બદલ તેમને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે ડીવાયએસપી એ.પી.જાડેજાએ નેસ્લે ઇન્ડિયા લિમિટેડ કંપનીના પોલીસકર્મીઓ પ્રત્યેના સંવેદનશીલ અભિગમને જોઈને આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.