Abtak Media Google News

અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો- છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વરસાદના કારણે લોકોને ઘણું નુકસાન થયું છે. ઉમરગામ તાલુકાનાં નારગોલ ગામની આ ઘટના છે.

નરગોલના નવાતળાવ આંગણવાડીમાં મકાનનું છત તૂટી પાડવાની ઘટના બની છે. ભારે વરસાદના કારણે આ ઘટના બની છે. આ મકાનની દીવાલમાં તિરાડ પડવાથી મકાનનું છત રાત્રીના સમયે ધડાકે ભેર તુંટી પડ્યું હતું. છતના પતરા પણ તૂટી પડ્યા છે. અહી સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી.

C299Ee2A 7Ea3 4Ccf 8941 57Bfbf98Dad4
આવી જ રીતે વાવાઝોડા સમયે માંગેલવાડ આંગણવાડીનું છત પણ તૂટી પડી હતી અને અત્યારે ચોમાસની શરૂઆતમાં ભારે વરસાદના કારણે રાત્રીના સમયે નારગોલની આંગણવાડીની દીવાલમાં તિરાડ પડતા છત ધડાકા ભેર તુંટી ધરાશય થયું હતું. આ આંગણવાડીનું નુકસાન થયા બાદ ગામના સરપંચ તથા ઉપ સરપંચે ક્ષતિગ્રસ્તવિસ્તાર આંગણવાડીની મુલાકાત લીધી હતી.

492B1B0A 522A 40Be 85E0 2Ae512Ebf7B5

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.