Abtak Media Google News

ઘણી એવી બીમારીઓ છે કે જે અબાલ, વૃદ્ધથી માંડી તમામ માટે જીવલેણ સાબિત થાય છે. ઘણી તો એવી પણ બીમારી છે જેનાથી આપણે સદંતર અજાણ હોઈએ છીએ. આવી જ એક બીમારી હાલ, સૌરાસ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતભરમાં ચર્ચામાં આવી છે જેનું નામ છે,એસએમએ-વન (SMA-1). મહીસાગરના કાનેસર ગામના અને હાલ પંચમહાલમાં રહેતા 3 માસના બાળક ધૈર્યરાજસિંહ રાઠોડ કે, જે આ ગંભીર બીમારીમાં સપડાતા તેનું નામ ચર્ચામાં આવ્યું છે. ધૈર્યરાજસિંહ રાઠોડ, જે માત્ર 3 મહિનાની ઉંમરે ઝીંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. એસએમએ-વન બીમારીની સારવાર એટલી બધી મોંઘી છે કે ભલભલો પરિવાર પણ મોઢામાં આંગળા નાખી જાય. પરંતુ સમાજનો સહિયારો પ્રયાશ હોય તો શું ન થઈ શકે ?? આ વાત માંડી હાલ, ધૈર્યરાજસિંહના પરિવારે ગુજરાતની જનતા અને સરકાર પાસે આર્થિક સહાય માટે મદદ માંગી છે.

એ જાણીને પણ આશ્ચર્ય થશે કે, આ બીમારીનો ઈલાજ એક જ છે જર્મની, બ્રાઝિલ, જાપાન અને અમેરીકામાં બનતું ઈંજેક્શન જેની કિમંત આશરે 22 કરોડ રૂપિયા છે. સ્વભાવિક છે કે, મધ્યમ વર્ગનો પરિવાર આ ખર્ચ પરવડી શકે નહીં. જો કે, કેન્દ્ર સરકાર તરફથી આ ઈંજેક્શનની આયાત પર વસૂલાતો 6 કરોડ રૂપિયાનો કર માફ કરી દેવાયો છે. રાજકોટ સહિત સૌરાસ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ધૈર્યરાજસિંહની મદદ માટે ફંડ એકત્ર ઝુંબેશ ચાલી રહી છે. જે અનુસંધાને અત્યાર સુધીમાં 7 કરોડ રૂપિયા એકત્ર થઈ ચૂક્યા છે. ત્યારે આપણે જાણીયે કે આ SMA-1 બીમારી છે શું અને તેની સારવાર કેવી રીતે થાય છે. શું કામ તેનો ચાર્જ આટલો મોંઘો છે.

SMA-1 બીમારી કેન્સર કરતા પણ વધુ જોખમી

SMA-1 કેન્સર કરતા વધુ જોખમી છે, જે સૌથી ખર્ચાળ સારવાર છે. આ બીમારીનું પૂરું નામ Spinal muscular atrophy- સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી છે. ગુજરાતીમાં તેને આનુવંશિક કરોડરજ્જુની સ્નાયુબદ્ધ કૃશતા કહી શકાય. આ બીમારીને બીજા શબ્દોમાં Verdunig-Hoffmann કહેવાય છે. ખરેખર તે આનુવંશિક રોગ છે. શરીરમાં એસએમએ-1 જનીનની અભાવને કારણે થાય છે. આ છાતીના સ્નાયુઓને નબળા પાડે છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરે છે. આ રોગ મોટે ભાગે બાળકોમાં જ થાય છે. બાળકોના શરીરમાં પાણીની કમી, સાથે સ્તનપાન અને શ્વાસ લેવામાં તકલીફ, આ બધા SMA type-1 ના લક્ષણો છે. આ બીમારીના લીધે બાળકો પોતાની રીતે હરી-ફરી કે બેસી નથી શકતા, અને આની જીવનમર્યાદા વધુમાં વધુ 2 વર્ષની હોય છે.

ક્યા દેશોમાથી આ ઈંજેકશન મંગાવી શકાય છે ?

તબીબી વિજ્ઞાન દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા સંશોધન પછી, આ રોગનો એકમાત્ર ઇલાજ ઝોલજેન્સ્મા ઈન્જેક્શન છે, જે સ્વિટ્ઝરલેન્ડ સ્થિત નોવાર્ટિસ દ્વારા બનાવવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે આ ઈંજેક્શન એક પ્રકારની જીન થેરેપી ટ્રીટમેન્ટ છે. તે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જે SMA type-1 થી પીડિત છે તેમને એક વાર જ આપવામાં આવે છે. જો કે ત્યારબાદ જર્મની, બ્રાઝિલ અથવા જાપાન અને અમેરિકામાં આ ઈંજેક્શનનું ઉત્પાદન થવા લાગ્યું. અને હાલ આ જ દેશોમાથી આ ઈંજેક્શન આવે છે.

ઝોલજેન્સ્મા ઇંજેક્શન કેવી રીતે કાર્ય કરે છે ?

SMA type-1 બીમારીથી કરોડરજ્જુના સ્નાયુમાં જે ખોટ ઉભી થાય છે, તેનો નાશ કરવા આ ઝોલજેન્સ્મા ઇંજેક્શન કામ કરે છે. જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કાર્ય કરે છે. જેના લીધે માંસ પેસીઓની હિલચાલ અને કાર્ય કરવાની શક્તિમાં સુધારો થાય છે. આ થેરાપી પછી, આ રોગ ફરીથી શરીરમાં થતો નથી, કારણ કે ઝોલજેન્સ્મા ઇંજેક્શનથી બાળકના ડીએનએમાં એક નવું જીન ઉમેરાય જાય છે. જેનાથી ભવિષ્યમાં SMA type-1 બીમારી થવાનો ભય રહેતો નથી.

ઝોલજેન્સ્મા ઇંજેક્શન કેટલું અસરકારક છે ?

SMA type-1 બીમારીથી પીડિત 21 બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. તેના પરિણામો માર્ચ 2019 માં આવ્યા હતા. પરિણામો અનુસાર, આ થેરાપી બાદ 21 માંથી 10 બાળકો કોઈપણ ટેકો વિના બેસી શક્યા હતા. સરળ શબ્દોમાં કહીએ તો, આ ઇન્જેક્શન 50% બાળકોમાં સફળ રહ્યું હતું.

દર વર્ષે 60 બાળકો MSA-1નો ભોગ બને છે

બાળકોનો ગંભીર ગણાતો આ રોગ વિશ્વમા ફેલાય પણ ઝડપથી રહ્યો છે. બ્રીટનમા દર વર્ષે આશરે 60 બાળકો જન્મે છે જે આ રોગથી પીડાય છે.

શા માટે આ દવા ખર્ચાળ છે ?

આ ઇન્જેક્શન મોંઘું છે, પરંતુ સંશોધનના પરિણામો દર્શાવે છે કે તે ખૂબ અસરકારક પણ છે. આ થેરાપીએ ઘણા બાળકોનું જીવનકાળ વધાર્યું છે. હકીકતમાં, ઝોલાજેનેસ્માએ ત્રણ જીન ઉપચારમાંથી એક છે જેના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર એસએમએની સારવારમાં આ દવા દર્દીને ફક્ત એક જ વાર આપવામાં આવે છે, તેથી તે મોંઘું છે. તેની બનાવટ પણ ખર્ચાળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.