Abtak Media Google News

દાન એ સેવા છે અને આ સેવામાં દરેક નાગરિકો આગળ આવવું જોઈએ. કોઈપણ આફતમાં ગુજરાત હંમેશા મોખરે હોય છે તેમ ધૈર્યરાજસિંહને ઉદ્યોગપતિઓએ મદદ કરી તે વેળાએ પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ગંભીર પ્રકારની જિનેટિક બીમારીથી પીડાતા મહીસાગર જિલ્લાના ત્રણ વર્ષીય બાળક ધૈર્યરાજસિંહના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા સમગ્ર દેશ પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા આગળ આવ્યો છે. સોશિયલ મીડિયા, જાહેર માર્ગો તેમજ ડોર ટૂ ડોર કેમ્પઈન હાથ ધરી ગુજરાતના યુવાઓ ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.

જામનગરના ઉદ્યોગપતિઓએ પણ આ બાળક માટે મદદનો હાથ લંબાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરના જી.આઈ.ડી.સી.દરેડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પ્રણામી સંપ્રદાયના સ્વામી કૃષ્ણમણીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં જય દ્વારકાધીશ મેટલના માલિક રાજુગાગીયા દ્વારા ધેર્યરાજસિંહની મદદ માટે રૂપિયા 2.51 લાખ

તથા હાઈટેક એક્સ્ટ્રુઝનના માલિક વસંત કટારીયા દ્વારા રૂ.1.11 લાખની આર્થિક મદદ જાહેર કરી જામનગર રાજપૂત યુવા સંઘને પોતાનો સહયોગ આપ્યો હતો.

Img 20210323 Wa0007

આ પ્રસંગે ઉપસ્થિત રહેલ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને તકલીફ કે આફતના સમયે ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે. ત્યારે ગુજરાતના આ બાળકને સારવાર મળી રહે તે માટે જામનગર તથા સમગ્ર રાજ્યના નાગરિકોને પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

પ્રણામી સંપ્રદાયના કૃષ્ણમણીજી મહારાજે પણ લોકોને મદદરૂપ થવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, દાન એ સેવા છે અને આ સેવામાં દરેક નાગરિકે આગળ આવવું જોઈએ. જામનગરના ઉદ્યોગપતિઓની આ પહેલ તેમની સેવાવૃત્તિ તેમજ ઉત્તમ માનવીય અભિગમ દર્શાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.