Abtak Media Google News

સ્વસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે લસણ. લસણમાં સારા ઘણા ગુણ રહેલા છે અને એ ફક્ત ભારત જ નહી પણ વિશ્વના ઘણા દેશોમાં એક મહ્ત્વપૂર્ણ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. ખોરાકને એક જુદા જ સ્વાદ આપવાની ક્ષમતા લસણમાં હોય છે જે ઓછા લોકોને પસંદ હોય છે.

  • લસણના જ્યૂસના 10 ટીપાં અને બે ચમચી મધને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી દરરોજ પીવાથી દમારોગમાં સારો એવો ફાયદો થાય છે.
  • જો તમારા ગળું ખરાબ હોય તો લસણના જ્યૂસને ગરમ પાણીમાં મિક્સ કરી કોગળા કરવાથી ગળાની ખિચખિચમાં તરત જ આરામ મળે છે.
  • લસણના રસના 20 ટીંપા અને એક ગ્લાસ દાડમનું જ્યૂસ મિક્સ કરી પીવાથી કોઈ પણ રીતની ખાંસી પૂરી રીતે ઠીક થઈ જાય છે.
    લસણના જયૂસને ખીલથી છુટકારો મેળવવા માટે ડાયરેક્ટ ચેહરા પર લગાવી શકાય છે. લસણના જ્યૂસને દિવસના સમયે ચેહરા પર લગાવીને 5 મિનિટ માટે રાખવું જોઈએ પછી એને પાણીથી ધોઈ લેવુ જોઈએ. આ ઉપાયને ખીલ મટી જાય ત્યાં સુધી અજમાવી શકાય છે.
  • લસણનું જ્યૂસ ઓછા વાળ વાળા લોકો માટે વરદાન જેવુ છે. એને દિવસમાં બે વાર ઓછા વાળ વાળી જગ્યા પર લગાવી સૂકાયા સુધી રાખવું જોઈએ. આનાથી નવા વાળ ઉગવા ઉપરાંત ખોડો અને જૂ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.
  • લસણના જ્યૂસને દૂધમાં મિક્સ કરી દરરોજ સવારના સમયે પીવાથી મહિલાઓમાં થતા વાંઝણાપણા પર નિયંત્રણ મેળવી શકાય છે.
  • લસણના જ્યૂસનો પ્રયોગ કોઈ ઝેરીલા જીવના કરડી જતા થતા દુ:ખાવાથી પણ છુટકારો મેળવવા માટે ઉપયોગ કરી શકાય છે .
  • લસણના જ્યૂસનો સૌથી કારગર ગુણ હોય છે. શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવુ અને ઓછું બનાવી રાખવુ. એના નિયમિત ઉપયોગથી હૃદયાઘાત અને બીજા હૃદય સંબંધી રોગોનો ખતરો ઓછો થઈ જાય છે.
  • લસણનું જયૂસ લોહીને સાફ કરે છે અને એને પાતળું રાખી શરીરમાં લોહીનું પ્રવાહને સુચારુ બનાવી રાખે છે.
  • લસણનું જ્યૂસ મહિલાઓને સ્વસ્થ રાખવમાં બહુ કારગર છે. એનો દરરોજ ઉપયોગ સ્તનોને યોગ્ય આકાર આપે છે.
  • લસણના જ્યુસનું સેવન હમેશા ભોજન પછી જ કરવું જોઈએ.
  • તાજા લસણનું જ સેવન કરવું કારણ કે તેમાંથી સૌથી વધારે સ્વાદ અને ફાયદા મેળવી શકાય છે.
  • છોલાયેલું લસણ કે લસણના જ્યૂસને ફ્રીજમાં ન મુકવુ જોઈએ
  • લસણને તાપથી બચાવીને સૂકી અને ઠંડી જગ્યામાં રાખવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.