Abtak Media Google News

નવસારીના ખેરગામ તાલુકાના નરાણપોર ગામમાં હ્રદયને કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. નારણપોર ગામ ખાતે ઝઘડિયા ફળિયામાં રહેતા એક પિતાએ તેના પુત્રની હત્યા કરી નાખી છે. જેમાં ગણેશભાઈ પટેલ ની તેના પિતા ભગુભાઈ પટેલે હત્યા કરી નાખી છે. મળતી માહિતી પ્રમાણે વહેલી સવારમાં પુત્ર ઊંઘી રહ્યો હતો ત્યારે પિતાએ પુત્રના માથામાં કુહાડીના ઘા મારી દીધા હતા. મોતને ભેટેલા યુવાનની ઉંમર 20થી 21 વર્ષ છે.

આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવની જાણ થયા બાદ ખેરગામ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બનાવ બાદ પોલીસે આરોપી પિતાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. પિતાએ કયા કારણોસર પુત્રની હત્યા કરી નાખી તે વાત સામે આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.