Abtak Media Google News

અબતક,રાજકોટ

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગત મોડી રાત્રે આઈટેન કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ચડી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 3 બાળકો સહીત 4ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માત સર્જી કારચાલક સહિત અન્ય 4 લોકો પણ ઘટનાસ્થળે કાર મૂકી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

મળતી માહિતી મુજબ અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા બીમાનગર નજીક ફૂટપાથ પર સોમવારે મોડી રાત્રે લોકો સૂઈ રહ્યા હતા.ત્યારે પૂર ઝડપે મોડી રાત્રે કાળ બનીને આવેલી આઈટેન કાર સુતેલા લોકો પર ફરી વળી હતી. જેમાં જમવાનું બનાવી રહેલી સંતુબેન નામની એક મહિલાને કારે કચડી નાખતા તેમનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે બાબુભાઇ અને ત્રણ બાળકોમાં જેતન,સુરેખા,વિક્રમ સહીત ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.polise તપાસમાં કારની માલિકી મિઠાખલીના શૈલેશ શાહ નામના વ્યક્તિની છે તેમજ કાર પર 9 ઈ-મેમો ભરવાના બાકી છે તેવું જાણવા મળ્યું છે.

Mahila

સૂત્રોના જણાવ્યા મુજબ કારમાં ચાર લોકો બેઠા હતા, જ્યારે બીજી એક કાર પણ ત્યાંથી પસાર થઇ રહી હતી. એવું જાણવા મળ્યું છે કે બંને કાર વચ્ચે રેસ લાગી હતી. એ સમય એક કાર ફૂટપાથ પર ફરી વળી અને ત્યાં સૂતેલા લોકો હાલ જીવન-મરણ છે. સમગ્ર બનાવમાં મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો. આ બનાવમાં સામેલ કોણ હતા તેમને શોધવા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.