Abtak Media Google News

કચ્છ રાજવી પરિવાર માં આશાપુશને સવારે જાતર (પતરી) ચડાવશે

અબતક,રાજકોટ

માતાના મઢમાં આશાપુરા શકિત પીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.

આસો સુદ -7 રવિવાર , તા.02-10 ના રાત્રીના 9-30 કલાકે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને ગોર મહારાજ દેવકૃષ્ણ મુળશંકર જોષી હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે . હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ , ફુલોથી હોમાદિક ક્રિયામાં આહુતિ આપવામાં આવશે . આ સમયે ચંડીપાઠ . શ્ર્લોક , સંક્રાતિપાઠ , માંના ગરબા ગવાશે . આ સમયે વાતાવરણ ભકિતમય બની જાય છે . મધ્યરાત્રિએ રાજાબાવા યોગેન્દ્રસિંહજી રાત્રીના 12:30 કલાકે શ્રીફળ હોમશે . સમગ્ર વાતાવરણ – માં આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે . તા.3-10 સોમવાર આસો સુદ આઠમના કચ્છ રાજવી પરિવારના કચ્છ ભાયાતો દ્વારા સવારે માં આશાપુરાને જાતર (પતરી) ચડાવશે . કચ્છ રાજવી ચાચરા કુંડથી સામૈયા સાથે સવારી આવે છે . ત્યારે શરણવાદક આમદ ઓસમાણ લંગા , નોબતવાદક લતીફ હાસમ લંગા , જાગરીયા ડાક મુસ્લીમ પરિવાર દ્વારા વિધિ કરવામાં આવે છે . આ સમયે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે . માં આશાપુરા મંદિરમાં ભુવાશ્રી દિલુભા ચૌહાણ તથા મનુભા ચૌહાણ માતાજીને ધુપ સેવાપુજા કરે છે.

પ્રકાશભાઇ છોટાલાલ પંડયા છેલ્લા ત્રણ પેઢીથી માતાજીની આરતી તેમજ સેવાપુજા કરે છે . તથા સ્થાનિક કક્ષાએ મયુરસિંહ જાડેજા સેવા આપે છે . આરતીનો સમય સવારના 5:00 કલાકે મંગળા આરતી . સવારે 9:00 કલાકે ધૂપ આરતી , તેમજ સુર્યાસ્ત સમય મુજબ સંધ્યા આરતી થાય છે , માતાના મઢ જાગીર ટ્રસ્ટ સમગ્ર હોમાદિક ક્રિયા કરવામાં આવશે . રાજાબાવા યોગેન્દ્રસિંહજી માં આશાપુરાને વંદનપૂર્વક પ્રાર્થના કરી સૌ દેશવાસીઓની મનોકામના માં આશાપુરા પૂર્ણ કરે તેવી વંદનપૂર્વક પ્રાર્થના કરશે . કચ્છ રાજવી પરિવારના સભ્યો ભાયતો આ વિધિ તા.3.10 સોમવાર સવારે કચ્છ રાજવી પરિવારના ભાયતો માઇભકતો ની ઉપસ્થિતીમાં યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.