Abtak Media Google News

૫ કરોડ મકાનોમાં ઝંડા લહેરાવવા મોદીશાહનો લક્ષ્ય

હાલ લોકસભાની ચૂંટણી નજીક આવતા તમામ પક્ષો પોત-પોતાની રીતે પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા પણ ૧૮ દિવસ માટે એક મુખ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ભાજપ પક્ષ ભાજપના ઝંડા ૫ કરોડ ઘરોમાં લહેરાવશે જેનું નામ ‘મા‚ પરિવાર, ભાજપ પરિવાર’ રાખવામાં આવ્યું છે.

આ આયોજન વિશે ભાજપ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે વીડિયો કોન્ફરન્સ દરમિયાન અનેક કાર્યકરો સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે, મહત્તમ ૫ કરોડ મકાનોમાં ભાજપનો ઝંડો લહેરાવવો જોઈએ. આ અભિયાન માર્ચ ૨ના રોજ પૂર્ણ થશે.

જેમાં પાર્ટી કાર્યકરો પોતાની પાર્ટી ઓફિસ અને લોકોના ઘર ઉપર ઝંડો લહેરાવશે. કયાંકને કયાંક કહી શકાય કે આ આયોજન લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં ઘણા ઉતાર-ચડાવો પણ જોવા મળતા હોય છે ત્યારે દર વખતની જેમ ભાજપ પોતાના એક આગવી શૈલીમાં ચૂંટણી જંગ ખેલતુ હોય છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, ભાજપ પક્ષ દ્વારા જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે કેટલા અંશે ભાજપને ફાયદો કરાવશે.

વાત કરવામાં આવે તો કોંગ્રેસ અને ભાજપ આમને-સામને આવી જતાં હોય છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ વખતે યુપીમાં પ્રિયંકા ગાંધીને પણ ઉતારવામાં આવી છે જે કેટલા અંશે ફાયદારૂપ થશે તે આવનારો સમય જ બતાવશે પરંતુ એ વાત નકકી છે ભાજપ પક્ષ ચૂંટણીને ધ્યાને લઈ સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. અનેકવિધ પ્રકારે તેમના અભિયાનને પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. કહી શકાય એક બુથ ત્રણ ગ્રુપ તથા પાંચ કરોડ લોકોના ઘર ઉપર ભાજપના ઝંડા આ તમામ યોજનાઓને ધ્યાને લઈ જાણે ભાજપે ચૂંટણીનું બ્યુગલ ફુંકયું હોય તેવું લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.