Abtak Media Google News

લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન પાસે હોટલ વિરાટ ઇન્ટરનેશનલમાં મંગળવારે (19 જૂન)ની સવારે ભયંકર આગ લાગી ગઇ. આ આગમાં ઘણા પર્યટકો ફસાયા. જાણકારી અનુસાર અકસ્માતમાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા, જેમને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર દરમિયાન 5 લોકોના મોત નિપજ્યા છે. આગના લીધે હોટલ સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે એક બ્લાસ્ટ સાથે હોટલમાં આગ લાગી અને જોતજોતાંમાં આગે સમગ્ર હોટલને ચપેટ લઇ લીધી. આગની સૂચના બાદ ફાયર બ્રિગેડ વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયો, હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.