Abtak Media Google News

પરિણીતાએ નોકરીએ જવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે ઢીમઢાળી દીધું

ગાંધીધામના ગણેશનગર ખાતે મોબાઈલ જેવી નજીવી બાબતે ધારીયાથી થયેલા હત્યાના બીજા જ દિવસે ખારીરોહર ખાતે બેકાર બેઠેલા પતિને નોકરી બાબતે ઠપકો આપનાર પોતાની પત્નીની છરીના ઘા મારી હત્યા કરી હોવાની ઘટના બનતા સંકુલમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીધામ નજીક ખારીરોહમાં રહેતા ૪૦ વર્ષીય સબામાનુ આલમશા સેયદે પોતાનો બેકાર બેસી રહેલા પતિ આલમ મુસ્તફા ઉર્ફે બબો નજર મહમ્મદ સૈયદને નોકરી કરવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયેલા તેના પતિ આલમે આડેધડ છરીના ઘા મારી દેતા તેનું મોત નિપજયું હતું. હત્યાના બનાવની જાણ થતા બી ડિવીઝન પોલીસ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી.

આ બાબતે બી ડિવીઝન પોલીસ મથકના પીઆઈ ડી.વી.રાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, હત્યાને અંજામ આપનાર પતિને પોલીસે પકડી લીધો છે અને મૃતક પરિણીતાના અંજારના શેખ ટીમ્બા વિસ્તારમાં રહેતા ભાઈ કાસમશા અકબરશા શેખની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.