Abtak Media Google News

આજે મારે આઈસ્ક્રીમ ખાવો છે!!! દરેક બાળક જમે કે ના જમે પણ આવી જીદ કરતાં હોય છે. બાળક તેમજ દરેક વયના લોકોનું ખૂબ પ્રિય ડેસર્ટ તે આઇસ્ક્રીમ છે. દરેક આઇસ્ક્રીમ અનેક ફેલવરમાં મળતો અને વિવિધ વાનગીઓમાં પણ સાથ આપતો એવો આ આઈસક્રીમ છે. દરેક દેશ તેમજ દુનિયામાં આ આઈસક્રીમ શબ્દનો અર્થ વિવિધ થાય છે. શું તમે બારેમાસ આઇસ્ક્રીમ ખાવ છો ? તો આટલું તેના વિશે જાણો.

ત્યારે પહેલા શું તમને ખબર છે આઈસક્રીમ ભારતમાં ક્યાંથી આવ્યો ?

ભારતમાં પરશિયન મુગલ રાજાઓ ઘૂડસવારનો ઉપયોગ કરી હિન્દ કુશથી બરફ લાવતા હતા. જેનો ઉપયોગ પાણીના ડેસર્ટ જેને જમાવીને સોરબેટના ઉપયોગમાં લેવાતા હતા. સંસ્કૃતિક રીતે દક્ષિણ એશિયામાં આઇસ્ક્રીમની રીતમાં બનાવામાં આવ્યું હતું. એવું ઇતિહાસમાથી જાણવામાં આવ્યું છે કે મુગલ સલતનત ૧૬મી સદીમાં બાબરના શાશનથી આઇસ્ક્રીમ બનાવામાં આવ્યો હતો. જેને પરશિયન આઇસ્ક્રીમ તરીકે જાણીતો થયો. જેમાં મુખ્ય રીતે પિસ્તા,ખાંડ,ગુલાબ જળ, પિસ્તા,કેસર તેમજ દૂધ જેવા વિવિધ સામગ્રીથી ત્યારે બનાવામાં આવતું હતું.

આઇસ્ક્રીમ લવર્સ આટલું  જરૂર જાણો :-

આઈસક્રીમ દરેકને ભાવતો જ હોય છે. ત્યારે જો વ્યક્તિ દિવસમાં એક-બેવાર આઈસક્રીમ નું સેવન કરે તો તેને સારા પ્રમાણમાં શરીર ઉતરી શકે છે.

હાડકાં મજબૂત થઈ જાય છે, હા આઈસક્રીમ ખાવાથી અવશ્ય હાડકાં મજબૂત થાય. વિટામિન એ,સીથી ભરપૂર છે. તેમજ વિટામિન બી-૧૨ કેલશિયમ પણ સારી પ્રમાણમાં મળી આવે છે તો તે હાડકાંને મજબૂત કરશે.

ત્વચાની સુંદરતા વધારશે જ્યારે આઇસ્ક્રીમનું સેવન કરવામાં આવે તો તે દૂધમાથી બનાવામાં આવે છે તો તેમાં એન્ટિઓક્સિડેંટનું ખૂબ સારા પ્રમાણમાં હોય છે. તે ત્વચાની સુંદરતા વધારશે.

આઇસ્ક્રીમ તે ઠંડો હોય છે તો તેના સેવનથી ગળા તેમજ શરીરમાં વધતી એસિડિટીનું નિરાકરણ તમને કરી આપશે.

એક સર્વે પ્રમાણે એવું જાણવામાં આવ્યું છે કે અલગ-અલગ ફેલ્વર પ્રમાણે લોકોના મૂડ તેની મનપસંદ નક્કી કરે છે અને તેના ભાવતા સ્વાદની પણ ઓળખ થઈ શકે છે.

તો જીવનમાં આઈસક્રીમ અવશ્ય ખાવ કારણ તેનાથી આઇસ્ક્રીમ લવર તો અવશ્ય બનશો પણ આરોગ્યને પણ આપશો આ વિશેષ ઉપહાર સમાન આ ફાયદા.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.