કેન્સરના દર્દીઓ ૩૦ મિનિટ સુધી ચાલે તો પોઝિટિવ એનર્જી આવે છે.

walking | health | abtakmedia
walking | health | abtakmedia

એડવાન્સ સ્ટેજમાં કેન્સર પહોંચી ચુક્યું હોય તેવા દર્દીઓ પણ જો અઠવાડિયામાં ત્રણ વાર ૩૦ મિનિટ સુધી ચાલે તો તેનાથી દર્દીની રૂટિન લાઈફ ઈમ્પ્રુવ થઈ શકે છે અને બિમારીમાંથી ઉઠવા માટે હકારાત્મક અભિગમ આવે છે.

લંડનના સંશોધકોનું કહેવું છે કે ચાલવું એ ખૂબ જ સહેલાઈથી થઈ શકે તેવી ફિઝિકલ એક્ટિવિટી છે. જે દર્દીને શારીરિક અને માનસીક બંને રીતે ફાયદાકારક છે.

સંશોધકોનું કહેવું છે કે ચાલવાથી દર્દી માનસીક અને ઈમોશનલ ફ્રીડમ અનુભવે છે. કેન્સરના દર્દીઓએ શક્ય હોય ત્યાં સુધી ચાલવાની એક્સર્સાઈઝ કરતાં રહેવાથી હકારાત્મક્તા આવે છે.