Abtak Media Google News

સુવાવડીઓમાં તાવનો ચેપ પ્રસરવાનું કારણ શોધનાર અને વિશ્ર્વનો પ્રથમ ડોકટર જેણે હાથ ધોવાથી ચેપ ફેલાતો અટકે છે, એવું સાબિત કર્યું, જે રોગની પોતે બીજાની સારવાર કરતો તેજ રોગથી તેનું મૃત્યુ થયું

ડોકટર ઈગ્નાઝ ફિલિપ સેમલવેઈઝ યુરોપનો તબિબ હતો 1818માં જન્મેલ અને 1865માં વિયેનાના પાગલખાનામાં મૃત્યુ થયું. આ તબીબે 1844માં જયારે ડોકટર બન્યો ત્યારે આખા યુરોપમાં સુવાવડી સ્ત્રીઓમાં તાવનો એપેડેમિક હતો. સાલ 1865માં માત્ર 21 વર્ષની મેડીકલ પ્રેકટીસ બાદ પાગલખાનામાં દમ તોડયો હતો. તે વિશ્ર્વમાં માતાઓના તારણહાર તરીકે સુવિખ્યાત થઈ ગયો હતો.

Handwash A
સગર્ભા સ્ત્રીઓમાં તાવનો ચેપ પ્રસરવાનું કારણ શોધનાર અને દુનિયાનો પ્રથમ ડોકટર કે જેણે હાથ ધોવાથી ચેપ ફેલાતો અટકે છે. એવું સાબીત કરી બતાવ્યું હતુ. વિધીની વક્રતા જોવા કે જે રોગની પોતે બીજાની સારવાર કરતો તેજ રોગથી તેમનું મૃત્યુ થયું હતુ છેલ્લે માનસીક તબીયત લથડતા તેને પાગલ ખાનામાં ભરતી કરાયો ત્યાંથી એક બે વાર ભાગવાના પ્રયાસમાં કર્મચારીએ માર પણ માયો હતો. 1844માં ઈગ્નાઝ ડોકટર બનીને વિયેનાની હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગમાં આસિ. ડોકટર તરીકે જોડાયો હતો. આ ગાળામાં હાલના કોરોનાની જેમ સગર્ભા મહિલા-સુવાવડી સ્ત્રીઓમાં તાવનો એપિડેમિક હતો.

Shutterstock 164609756 Nurse Washing Hands
બાળખના જન્મ પછી 20-25 ટકા સ્ત્રીઓ તાવને લીધે મૃત્યુ પામતી હતી આ સમયે બધા ડોકટર પણ જાણે કે બાળકના જન્મ પછીની આ અનિવાર્ય હકિકત ગણતાને આ સ્વીકારી લેતા. એ જમાનામાં કુટુંબનિયોજનતો હતું જ નહી એટલે સ્ત્રીઓ ગર્ભવતી થાય ત્યારથી જ ફફડતી કે મોત આવ્યું જ સમજો. યુવા ડોકટર ,ગ્નાઝન્ફલિયે આનો સ્ટેટિસ્ટિકસ અભ્યાસ-સંશોધન કરી મૂળ શોધ્યું. તેને સંશોધનમાં જાણવા મળેલ કે બેવોર્ડ દર્દીની સંખ્યા સરખી, વેન્ટિલેશન પણ બરાબર છતા પહેલા વોર્ડ કરતા બીજા વોર્ડમાં મૃત્યુદર ત્રણ ગણો વધારે હતો.

પહેલા વોર્ડમાં દર્દી પાસે ઈન્ટર્ની ડોકટર મરણ પામેલી સ્ત્રીની ઓટોપ્સી માટે જતા જેથીમોતનું સાચુ કારણ જાણી શકાય જયારે બીજો વોર્ડ ફકત દાયણો જ સંભાળતીહતી. ડો. ઈગ્નોઝે અવલોકન કર્યું કે મરેલ સ્ત્રીની ઓટોપ્સી કર્યા બાદ ડોકટર હાથ ધોયા વગર બાજુના વોર્ડ બીજી સ્ત્રીને દર્દીને તપાસતા જેને કારણે ચેપ લાગતો હતો આજે આપણને ખબર છે કે ફકત એન્ટિસેપ્ટિક રીતે હાથ ધોવાથી જ કેટલાક બેકટેરીયા નાશ પામે છે. અને સર્જનો સ્કૂબિંગ કર્યા વગર ઓપરેશન કરતા નથી પણ 1800ની સાલમાં આવું ન હતુ. ડો. ઈગ્નાઝેદરેક ડોકટરને મંદ કલોરીન વોટરથી હાથ સાફ કરીને વોર્ડમાં જવાનું કહેતા તરતજ વોર્ડમાં મૃત્યુદર 18.27 ટકામાંથી ઘટીને 1.27 ટકા થઈ ગયો હતો. માર્ચથી ઓગષ્ટ 1848માં એક પણ સ્ત્રીનું મૃત્યુ સુવાવડ પછીના તાવને લીધે ન થયું. યુવાન ડોકટર સમજયા પણ સિનિયર ડોકટરે ડો. ઈગ્નાઈઝની વાત નો વિરોધ કર્યો હતો. વિજ્ઞાનમાં પણ પ્રચલિત સિધ્ધાંતથી જુદી વાત સ્વીકારવી મુશ્કેલ હોય છે.
આજ સુધી સ્પર્શથી ચેપ ફેલાય તેવી વાત કોઈએ કરી ન હતી. એટલે વડીલ ડોકટરે ડો. ઈગ્નાઝની મશ્કરી કરી હતી. અને અંતે 1849માં તેને હોસ્ટિલમાંથી છૂટો કરી દીધો ત્યાંથી તે બુડાપેસ્ટની હોસ્પિટલમાં જોડાયો ત્યાં પણ સુવાવડી સ્ત્રીઓમાં તાવનાં ખૂબજ વાયરા હતા. તેણે સ્ત્રી વોર્ડમાં ફરજ બજાવીને સ્ત્રી મૃત્યુ દર 0.85 ટકા કરી દીધો હતો. તેણે મેડિકલ સોસાયટીમાં રીસર્ચ પેપર રજૂ કર્યું ને 1855માં હોસ્પિટલનાં સ્ત્રીરોગ વિભાગનો હેડ બની ગયો. તેમનું માત્ર 47 વર્ષની વયે અવસાન થયું હતુ.

તેણે તેનાં સંશોધનની કોપી બધે મોકલી પણ બધેથી તેને નકારીને હેન્ડવોશના તૂતને બંધ કરવા જણાવ્યું બાદમાં તે માનસિક ભાંગી ગયો ને બાય પોલર ડીઝીઝ થતા મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાયો જૂના ઓપરેશનના ઝખમમાં ચેપલાગ્યો અને સાવ અજ્ઞાત દશામાં એજે આખી જિંદગી રોગ સામે લડયો હતો તેની સામેજ હારી ગયો. એના મૃત્યુ બાદ સમગ્ર વિશ્ર્વના મેડિકલ સાયન્સ અને વૈજ્ઞાનિકોએ એની થીયરી સ્વીકારી હતી. એને ‘માતાઓનાં તારણહાર’ તરીકે બીરદાવવામાં આવ્યો હતો.

2018માં હેંગરીમાં એમના નામની યુનિવર્સિટીની સ્થાપના કરાયઅને દ્વિશતાબ્દીએ એક ટપાલ ટીકીટ બહાર પડી, જેમાં ગર્ભવતીમાતા અને હાથ ધોવાની ક્રિયા બતાવી છે. અત્યારે કોરોનાના પેનડેમિક સમયે પ્રીવેન્ટિવ મેડિસીનના પિતામહ એવા હિરોને સૌ શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.