Abtak Media Google News

ત્રણ બુકાનીધારીએ કારખાનેદારના લમણે રિવોલ્વર તાડી લુંટને આપ્યો અંજાર

ભાવનગર શહેરના તળાજા રોડ પરના રાધેકૃષ્ણ કોમ્પ્લેકસમાં આવેલા કારખાનામાં હીરાના કારખાનેદારના લમણે રિવોલ્વર જેવું હથિયાર અડાડી કારખાનામાંથી તૈયાર હીરા તથા રોકડ મળી સવા પાંચેક લાખની માલમતાની લુંટ ચલાવીને ત્રણ બુકાનીધારી શખ્સ નાસી છુટયા હતા. આ અંગે ભરતનગર પોલીસે અજાણ્યા ત્રણ શખ્સ વિરુઘ્ધ લુંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરના તળાજા રોડ કામિનિયાનગર રોડ પરના રાધેકૃષ્ણ કોમ્પ્લેકસ ત્રીજા હીરાના કારખાનામાં ભગવાનને દીવાબત્તી કરતા હતા. દરમિયાનમાં અચાનક ત્રણ બુકાનીધારી શખ્સે ધસી આવતા કારખાનેદાર અશોકભાઇ કંઇ સમજે તે પહેલા જ રિવોલ્વર જેવું હથિયાર લમણે ધરી અને ગળાના ભાગે છરી અડાડી ધાકધમકી આપી ટેબલના ખાનામાંથી તૈયાર તથા કાચા મળી કુલ રૂ પાંચ લાખના હીરાના પેકેટ તથા ડ્રોઅરમાંથી રોકડ રૂ ૩૦ હજાર સહીતના કુલ ૫.૩૦ લાખના મુદામાલની દિલધડક લુંટ ચલાવી તમામ પલાયન થઇ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.