Abtak Media Google News

ગીર-સોમનાથ જિલ્લામાં કોવિડ-૧૯ સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેકટર અજયપ્રકાશે ગીર સોમનાથ જીલ્લાના દરેક વ્યકિતઓની ફરીવાર ત્રણ તબકકામાં આરોગ્યની તપાસ થાય તે માટે જરુરી આદેશો આપેલ છે.

ગીર-સોમનાથ જિલ્લામાં બહારના રાજય જિલ્લામાંથી આવેલ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત જોવા મળેલ છે. જેના કારણે ગીર-સોમનાથ જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. બહારથી આવેલ લોકોને કોરોન્ટાઇન કરવામાં આવે છે. તેમના દ્વારા કોરોના વાઇરસ ન ફેલાય તે માટે જીલ્લાના દરેક વ્યકિતઓના આરોગ્યની તપાસ પ્રથમ તબકકામાં તા. ૧૬ મી થી તા. ૧૯ મે સુધી બીજા તબકકામાં તા.ર૧ મી થે ર૪ મે સુધી અને ત્રીજા તબકકાની તપાસ તા. ર૬ મે થી ર૯ મે સુધી કરવા આરોગ્ય તંત્રને આદેશ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.