Abtak Media Google News

ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાં લોકડાઉન અમલમાં છે. રાજ્ય સરકારે નોન-એનએફએસએ એપીએલ-૧ કાર્ડ ધારકોને તા. ૭ મે થી અનાજ વિતરણ કરવામાં આવશે. વેરાવળ શહેર તેમજ ગીર સોમનાથ જિલ્લાના ૧૨૦૯૪૯ નોન-એનએફએસએ એપીએલ-૧ રાશનકાર્ડ ધારકોને જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ચણા દાળ અને ૧ કિલો ખાંડ વાજબી ભાવની દુકાનેથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

રાશનકાર્ડના છેલ્લો આંક ૧-૨ ધરાવતા કાર્ડધારકોને ૭ મે ના રોજ, છેલ્લો આંક ૩-૪ ધરાવતા કાર્ડધારકોને ૮ મે ના રોજ, છેલ્લો આંક ૫-૬ ધરાવતા કાર્ડ ધારકોને ૯ મે ના રોજ, છેલ્લો આંક ૭-૮ ધરાવતા કાર્ડધારકોને ૧૦ મે ના રોજ, અને છેલ્લો આંક ૯-૦ ધરાવતા કાર્ડધારકોને ૧૧ મે ના રોજ અનાજ વિતરણ કરવામાં આવશે. બાકી રહેલા કાર્ડધારકોને ૧૨ મે ના રોજ અથવા ૧૨ મે પછી વહેલી તકે અનાજ મેળવવાનું રહેશે.

રાશનકાર્ડના છેલ્લા નંબરનાં આધારે ગ્રાહકોએ અનાજ લેવા સસ્તા અનાજની દુકાને કાર્ડદિઠ એક વ્યકિતએ જ આવવાનું રહેશે. કાર્ડધારકે આધારકાર્ડ ઓરીજનલ સાથે રાખવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. અનાજના જથ્થાની જરૂર ન હોય તો સ્વેચ્છાએ જતો કરવા કાર્ડધારકને અપીલ કરવામાં આવી છે જેથી જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.