Abtak Media Google News

પતિ અને પત્ની એટલે સંસાર રથનાં બે પૈડાં, એક પૈડાં વગર રથ ચાલવો મુશ્કેલ છે, તેમ એક જીવન સાથીની ગેરહાજરી પણ જીવન વ્યથિત કરી દેતું હોય છે, અને તેમાંય જેને જીવથી વધુ પ્રેમ કર્યો હોય તેવા જીવન સાથીની એકાએક વિદાય બીજા જીવન સાથી માટે વિજોગણ બની જતી હોય છે, આવું જ જૂનાગઢના એક વૃદ્ધ દંપતીમાં બન્યું… પત્ની મરણ પામ્યા, અને તેના વિયોગમાં 65 વર્ષીય પતિએ વખડાં ઘોળી, પત્નીની વાટ પકડવા, આત્મ હત્યા કરી લીધું હોવાનું પોલીસ દફતરે છે.

પ્રેમને વ્હેમ અને લગ્ન જીવનને રમત સમજતા આજના આધુનિક યુગના દંપતીઓ માટે સંસાર જીવનમાં પાકતી વયે  પ્રેમ શું છે ? તેની દાખલારૂપ ઘટના જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, પોલીસમાં નોંધાયેલ અમોતની નોંધ મુજબ, શહેરના આદર્શનગર-2 જોષીપરામાં રહેતા 65 વર્ષીય અશોકભાઇ રીજુમલભાઇ ચાવરીની ધર્મપત્ની ત્રણેક મહીના પહેલા મરણ જતા, અશોકભાઇ ખૂબ વ્યથિત રહેતા હતા અને પત્નીના મરણ બાબતે પોતાને લાગી આવતા કોઇ પણ કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી મરણ ગયા હતા.

જો કે, ચાવરી પરીવારના આત્મજને આત્મ હત્યા કરી લેતા પરિવારમાં શોક વ્યાપ્યો છે અને આ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.