Abtak Media Google News
પટ્ટાવાળાથી પ્રિન્સિપાલ સુધીની પોસ્ટ પર વિદ્યાર્થીઓ ભૂમિકા ભજવશે

મોરબી : મોરબી ઉમા વિદ્યા સંકુલમાં 5 સપ્ટેમ્બર શિક્ષક દીન નીમિતે વિદ્યાર્થીઓ પટ્ટાવાળાથી પ્રિન્સિપાલ સુધીની પોસ્ટનું સંચાલન કરશે.વિદ્યાર્થીઓમાં શિક્ષણ કાર્યની સમજ આવે તે માટે શાળા સંચાલને સફળતાનું પગલું ભર્યું છે.

5 સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વોપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતી નિમિત્તે.ઉમા વિદ્યા સંકુલ ખાતે પટ્ટાવાળા, શિક્ષક, ફ્લોર હેડ, ક્લાર્ક, રિશેપ્શન ટેબલ, વાઇસ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલ સુધીની પોસ્ટનું સુચારુ સંચાલન વિદ્યાર્થીઓ કરશે. આ સાથે શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા અને સંચાલક હિતેશભાઈ સોરિયા દ્વારા વધુમાં જણાવ્યું કે શિક્ષકના કાર્યની વિદ્યાર્થીઓને સમજ કેળવે તથા શિક્ષકનો આદર વિદ્યાર્થીઓમાં વધે તે હેતુથી શાળામાં આ પ્રકારનું આયોજન કરેલ છે.

આ એક દિવસ શાળાનું તમામ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવશે તેવી જાહેરાત શાળા દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.