Abtak Media Google News

નરેન્દ્રભાઈ મોદી આગામી ૧૯મી જાન્યુઆરીના રોજ પધારનાર છે જેઓના સ્વાગત માટે પ્રસાશન સાથે પ્રદેશના લોકો પણ ખુશી ખુશી લાગી ગયા છે,દાનહમા મેડીકલ કોલેજ સાથે રીંગરોડ,દમણગંગા નદી કિનારે બનેલ રિવરફ્રન્ટ, સેલવાસ નગરપાલિકા કચેરી,જિલ્લા પંચાયત દ્વારા પીવાના પાણીની યોજના, ખરડપાડા અને ખાનવેલની સરકારી શાળાના મકાનો રિંગરોડ પર બનનાર બ્રિજોના શિલાન્યાસ કરવામા આવશે

ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ઉજ્જ્વલા યોજના અંગે જાણકારી આપી પ્રધાનમંત્રીના આગમન નિમિતે પ્રદેશના લોકોને મોટી સંખ્યામા ઉપસ્થીત રહેવા આમંત્રણ આપી રહ્યા છેઆ શુભ ઘડીની ઉજવણી નિમિતે અને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરવા માટે પ્રદેશના લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે,દરેક કચેરીઓ જાહેર સ્થળોને લાઇટિંગ કરી સજાવવામા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.