Abtak Media Google News

ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સો રાધાબેન વ્યાસ, માલાબેન ભટ્ટ, નીલેશ પંડ્યા અને પંકજ ભટ્ટ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ, ગાંધી ગીતો કી ‘સ્વરાંજલિ’ અર્પણ કરાશે

૩૦ જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન – શહીદ દિન નિમિત્તે  સવારે ૯.૦૦ કલાકે, રાજકોટ સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીયશાળા પ્રાંગણ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતોનાં ‘સ્વરાંજલિ’ તેમ જ સામૂહિક ‘મૌનાંજલિ’નાં ભાવાંજલિ કાર્યક્રમ ‘ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે’નું આયોજન સતત નવમા વર્ષે થઈ રહ્યું છે. રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક લાગણીસભર સંસ્મરણો રાજકોટ સાથે છે તેથી ૧૫૦મી વર્ષ અંતર્ગત આ કાર્યક્રમ નું સવિશેષ મહત્વ છે.૩ થી ૭ માર્ચ ૧૯૩૯ દરમિયાન ગાંધીજીએ રાષ્ટ્રીયશાળા ખાતે ઉપવાસ કરેલા. આપણાં સ્વાતંત્ર્ય-સંગ્રામ અને તેમાં આહૂતિ-બલિદાન આપનાર સ્વાતંત્ર-સેનાનીઓી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન દ્વારા આ પ્રેરક આયોજન થયું છે. સુરક્ષા સેતુ સોસાયટી  રાજકોટ શહેર પોલીસ, રાષ્ટ્રીયશાળા, સૌરાષ્ટ્ર  રચનાત્મક સમિતિનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.સવારે ૯ થી ૧૧ દરમિયાન ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ, માલાબેન ભટ્ટ, નીલેશ પંડ્યા અને પંકજ ભટ્ટ (સંગીતકાર) દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતો કી ‘સ્વરાંજલિ’ અર્પણ શે. કસુંબીનો રંગ, રક્ત ટપકતી સાથે સાથે ઝોળી, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, ઝંડા અજર અમર રેજે, તારા નામમાં ઓ સ્વતંત્રતા, છેલ્લો કટોરો ઝેરનો, શિવાજીનું હાલરડું, સૂના સમદરની પાળે, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, ચારણ-ક્ન્યા જેવાં આજે પણ લોકહૈયે ગુંજતા અમર રજૂ શે. સવારે ૧૧ કલાકે સાયરન વાગતા જ કાર્યક્ર્મને વિરામ આપીને શહીદોને સામૂહિક ‘મૌનાંજલિ’ અર્પણ થશે. દેશની સરહદોની રક્ષા તથા આંતરિક સુરક્ષા માટે શહીદ નાર વીર-જવાનોને પણ વિશેષ અંજલિ અર્પણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.