Abtak Media Google News

તંત્ર વરસાદની ટકાવારી કોના લાભમાં જાહેર કરે છે તેવા સવાલ ઉભા થયા

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો નહિવત વરસાદ તમામ જળાશયો તળિયા ઝાટક છતાં સરકારી તંત્ર નો અનરાધાર આજે 30 સપ્ટેમ્બરે શહેર ના તમામ જળાશયો તળિયા ઝાટક છે તેમ છતાં સિઝન નો 92થી 98 ટકા વરસાદ દેખાડી રહેલ તંત્ર વીમા કંપની ઓના હિત ના ઉતરી રહ્યા નું દેખાઈ છે.

આ વર્ષ નો દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં માત્ર 7 થી 8 જેવો વરસાદ છતાં સર્વત્ર વર્ષા દેખાડતું તંત્ર ત્યારે આ સિઝન નો 92થી 98 ટકા વરસાદ રેકર્ડ ઉપર દેખાડી તંત્ર ને વાસ્તવિકતા થી સંપૂર્ણ અજાણ છે કે કોઈ વીમા કંપની ના હિત માં ? 30 સપ્ટેમ્બર સુધી દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં માત્ર 7 થી 8 જેટલો વરસાદ હોવા છતાં ધોધ માર અનરાધાર કેમ દર્શાવતું હશે?

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં માત્ર મામુલી વરસાદ થયો છે શહેર ના જય ભુરખિયા સરોવર નં 1 અને 2 સંપૂર્ણ ખાલીખમ સારો વરસાદ હોવા ના તંત્ર અહેવાલો સંપૂર્ણ ગબારો છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં નાના મોટા ખાડા તળાવો ખાલીખમ છે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં નહિવત વરસાદ થી કોઈ જગ્યા એ ખાડા સરવરો ભરાયા નથી ત્યારે તંત્ર એ  આંકડાકીય માયાજાળ રચી સિઝન ના સારા વરસાદ ની ટકાવારી કોના લાભ માં જાહેર કરતું હશે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.