Abtak Media Google News

ઇન્ડિયન ટેલિવિઝનની સૌથી લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ચાહકો માટે ખુશીના સમાચાર છે. છેલ્લા 13 વર્ષથી આ સીરિયલ ભારતમાં સારી એવી TRP સાથે ચાલી રહી છે. આ સીરિયલના બધા કેરેક્ટરોએ લોકોના દિલમાં વસી ગયા છે, જેમા દયા બેનનું નામ સૌથી મોખરે છે. છેલ્લા થોડા સમયથી દયાબેન સીરિયલમાં દેખાતા નથી. મળેલા સમાચાર મુજબ હવે તે પાછા સીરિયલમાં વાપસી કરશે.

Tarak Mehta Ka Olta Chasma
એક સમાચાર એજન્સી સાથે ખાસ વાતચીતમાં અસિત મોદીએ કહ્યું કે, “13 વર્ષના લાંબા સમયગાળા સુધી આ સીરિયલ એક આગવું સ્થાન ઉભું કર્યું છે. મારુ સપનું હતું કે આ શૉ ખાસ કરી ને બાળકો માટે એનિમેશનના રૂપમાં લાવું. આ મારા સપનાને હકીકત બનવા માટે સોની ચેનલએ સાથ આપ્યો છે. હવે અમે ટૂંક સમયમાં આ સીરિયલનું એનિમેશન સ્વરૂપ લાવી રહ્યા છે.”

965861 Taarak Mehta Ka Ooltah Chashma
દયાબેન ને જે લોકો શૉમાં જોવા માંગે છે, તેની ઈચ્છા હવે પુરી થશે. આ એનિમેટેડ વર્ઝનમાં તમને દયાબેન અને સાથે બીજા બધા કેરેક્ટરો જોવા મળશે. જેઓ દયા ભાભીને મિસ કરતા હતા તેઓ આ એનિમેટેડ વર્ઝનમાં દયા ભાભીને જોઈ શકાશે. તેમાં એક નાની ટપ્પુસેના પણ હશે. આ એનિમેટેડ વર્ઝનમાં હવે કોઈ કલાકાર શો છોડીને ચાલ્યો જાય એવી કોઈ ચિંતા નથી રહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.