Abtak Media Google News

માત્ર માથામાં ફ્રેક્ચર ન થવું એ કલમ ૩૦૨ હેઠળ કાર્યવાહી નહીં કરવાનું કારણ બની જ ન શકે !!

અબતક, નવી દિલ્લી ૩૦૨ના કેસમાં માથાની ઇજાને અવગણી શકાય

સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું છે કે, ભોગ બનનારના માથાના ભાગમાં કોઈ ફ્રેક્ચર મળી આવ્યું ન હોય તો કેસને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨માંથી બહાર લઈ શકાય નહીં. માથાના ભાગમાં થયેલી કોઈ પણ ઇજાને ૩૦૨ના કેસમાં અવગણી જ શકાય નહીં તેવું કોર્ટે કહ્યું છે.

જસ્ટિસ એમ.આર.શાહ અને બી.વી. નાગરથ્નાની બેન્ચે અવલોકન કર્યું કે, આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ કેસ દાખલ કરવા માટે માથા પરની ઈજાને શરીરના મહત્ત્વના ભાગમાં ઈજા થઈ હોવાનું કહી શકાય.

આ કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. અપીલને આંશિક રીતે મંજૂરી આપતા અલ્હાબાદ હાઇકોર્ટે આઈપીસીની કલમ ૩૨૬ (ખતરનાક હથિયારો અથવા માધ્યમોથી ગંભીર ઇજા)માં દોષિત ઠરાવવામાં ફેરફાર કર્યો. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, મૃતકનું મૃત્યુ છ દિવસ પછી થયું હતું અને મૃતકના માથા પર કોઈ ફ્રેક્ચર જોવા મળ્યું નથી. સર્વોચ્ચ અદાલત સમક્ષની અપીલમાં, રાજ્યએ દલીલ કરી હતી કે, કલમ આઈપીસીની કલમ ૩૦૨ થી કલમ ૩૨૬ માં દોષિત ઠરાવતી વખતે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલો તર્ક વિકૃત છે.

ખંડપીઠે રેકોર્ડ પરના પુરાવાઓનો ઉલ્લેખ કરીને નોંધ્યું હતું કે, હાઇકોર્ટે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઉલ્લેખિત ઇજાઓને ધ્યાનમાં લીધી ન હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે માથાની ઇજા જીવલેણ હતી અને તે ઇજાઓને કારણે મૃતકનું મૃત્યુ થયું હતું. કોર્ટે ઉમેર્યું હતું કે, માત્ર છ દિવસ પછી મૃતકનું મૃત્યુ થયું હોવાથી કલમ ૩૦૨ આઈપીસી હેઠળના ગુના માટે દોષિત ઠેરવવાનું અને તેને કલમ ૩૨૬ આઈપીસીમાં રૂપાંતરિત કરવાનું કારણ ન હોઈ શકે.

હાઈકોર્ટ દ્વારા કલમ ૩૦૨ આઈપીસીમાંથી કલમ ૩૨૬ આઈપીસીમાં દોષિત ઠરાવવામાં રૂપાંતરિત કરવા માટે આપવામાં આવેલ એક અન્ય કારણ એ છે કે, માથા પર કોઈ ફ્રેક્ચર જોવા મળ્યું નથી. જો કે, એ નોંધવું જરૂરી છે કે મૃતકનું મૃત્યુ આંતરિક ઈજાઓને કારણે થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તબીબી પુરાવા મુજબ માથામાં ઈજા થઈ છે. માથાની ઈજા નં. ૧ ઉપર ફરીથી રજૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ કરનાર ડો. પી.આર. મિશ્રા – પીડબ્લ્યુના નિવેદન મુજબ માથામાં ઇજા થવાથી મોત નીપજ્યું હતું પરંતુ કોઈ ફ્રેક્ચર મળી આવ્યું નથી. ઉપરોક્ત અવલોકન મુજબ માથા પર ઈજા થઈ છે શરીરના મહત્વના ભાગ પર ઈજા થઈ હોવાનું કહી શકાય અને તેથી કલમ ૩૦૨ આઈપીસીનો સ્પષ્ટ કેસ સ્થાપિત અને સાબિત થયો છે. તેથી વિદ્વાન ટ્રાયલ કોર્ટે કલમ ૩૦૨ હેઠળના ગુના માટે આરોપીને યોગ્ય રીતે દોષિત ઠેરવ્યો હતો.

અવલોકન કરતાં બેન્ચે કલમ આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ સજાપાત્ર ગુના માટે આરોપીને દોષિત ઠેરવતા ટ્રાયલ કોર્ટના ચુકાદાને પુનઃસ્થાપિત કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.