Abtak Media Google News

આસામ, બિહાર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, તામિલનાડુ અને અંદમાન નિકોબારના રાજયપાલની નિમણુક

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સતા પર આવ્યા બાદ સૌથી મોટો નિર્ણય લીધો છે. આજે તેમણે દેશના પાંચ રાજયોના રાજયપાલની નિમણુકની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ તામિલનાડુ સહિત રાજયો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન અને નિકોબારના રાજયપાલની નિમણુકની જાહેરાત કરી છે.સત્યપાલ મલિકને બિહારના રાજયપાલ બનાવવામાં આવ્યા છે. જયારે પ્રોફેસર જગદિશ મુખીને આસામના રાજયપાલ તરીકે નિમણુક આપવામાં આવી છે. વિરેન્દ્રકુમાર જોશી કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન નિકોબારના લેફટીનન્ટ રાજયપાલ બનશે.જયારે ગંગાપ્રસાદને મેઘાલયના રાજયપાલ બનાવવામાં આવ્યા છે. બી.ડી.મિશ્રાને અ‚ણાચલ પ્રદેશના રાજયપાલ બનાવવાનો નિર્ણય રાષ્ટ્રપતિ કોવિંદે લીધો છે. ઉપરાંત બનવારીલાલને તામિલનાડુના નવા રાજયપાલ બનાવાયા છે. અત્યાર સુધી તામિલનાડુના રાજયપાલનો વધારાનો ભાર મહારાષ્ટ્રના રાજયપાલ સી.વિદ્યાસાગર રાવ સંભાળી રહ્યા હતા.

કયાં કોની નિમણુક ?

* જગદીશ મુખી (આસામ)

* સત્યપાલ મલિક (બિહાર)

* ગંગા પ્રસાદ (મેઘાલય)

* બીડી મિશ્રા (અરુણાચલ પ્રદેશ)

* બનવારીલાલ પુરોહિત (તામિલનાડુ)

* દેવેન્દ્રકુમાર (અંદમાન-નિકોબાર)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.