દીવમાં છેલ્લા બે દિવસમાં ૯ લોકો કોરોનાથી સંક્રમિત થયા. તેમજ ૬ દર્દીઓ સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. દીવ ડેપ્યુટી કલેક્ટર હરમિંદર સિંઘે પ્રેસનોટના માધ્યમથી જણાવ્યું હતું કે દિવમાં તારીખ ૮/૯/૨૦૨૯ની મોડી સાંજે જેપી ટેસ્ટમાં બે વ્યક્તિઓ પોઝિટિવ મળી આવ્યા હતા તેમજ તા ૯/૯/૨૦૨૦ ના રોજ ૩ વ્યક્તિઓ રેપિડ ટેસ્ટ માં પોઝિટિવ આવ્યા હતા તેમજ ૪ વ્યક્તિઓ આર ટી પી સી આર ટેસ્ટમાં પોઝિટિવ આવતા છેલ્લા બે દિવસમાં દીવ જિલ્લામાં કુલ મળીને ૯ કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. પોઝિટિવ આવનાર તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ ૪ દર્દીઓ દીવ થી બહાર સારવાર લઇ રહ્યા હતા તે સ્વસ્થ થઈને દીવ પરત ફર્યા છે અને ૨ દર્દીઓ દીવની સરકારી કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ હતા તે સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી છે. આ સાથે દીવમાં કોરોનાના ૩૪ એક્ટિવ કેસ છે. પાંચ વ્યક્તિઓ દીવથી બહાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ ૨૩૨ દર્દીઓ અત્યાર સુધી સ્વસ્થ થઇ ચુક્યા છે.
Trending
- કૃતિ ખરબંદાના આ આઉટફિટ હનીમૂન વેકેશન માટે પરફેક્ટ છે…
- બાપ રે…. પુલકિત સમ્રાટએ પહેલી વખત ખીર બનાવીને સાસરિયા વાળાએ શું રીએક્શન આપ્યા!!!
- સોનું લેવું હોય તો હજી લઈ લેજો ,પછી કે’ તા નઈ કે રહી ગ્યાં!!
- આ મંદિરને ‘ગેટ ટુ હેલ’ માનવામાં આવે છે, જે અંદર જાય છે તે ક્યારેય પાછો નથી ફરતો.
- પોસ્ટર જોતાં જ લાગે છે કે રજનીકાંતની ફિલ્મ “થલાઇવા 171” ધમાલ મચાવશે
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે