Abtak Media Google News

ગીર સોમનાથના બાદલપરા ગામમા પ્રવેશતાજ લોકો ઓટોમેટીક થાય છે સેનેટાઈઝ

કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ ઝઝુમી રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ત્રીજા તબક્કામાં તા.૧૭ મે સુધી લોકડાઉન અમલમાં મુકાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે વહીવટી તંત્ર અને આરોગ્ય શાખાની ટીમ દ્રારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર જિલ્લાભરમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવવામાં કટીબધ્ધ છે.

001 4

કોરોના વાયરસના સંક્રમણના કારણે ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા ગામોમાં સેનેટાઈઝનો છંટકાવ અને ગામના પ્રવેશદ્રાર પાસે સેનેટાઈઝ મશીન મુકવામાં આવ્યા છે.

002 4

બાદલપરા ગામના રહેવાસી ધારાસભ્ય ભગવાનભાઇ બારડે જણાવ્યું હતું કે, બારડ પરિવારના સહયોગથી બાદલપરા ગામના પ્રવેશદ્રાર પાસે સેનેટાઈઝ સ્પે ટનલ કાર્યરત કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમ્યાન કાર્યરત આ ટનલમાંથી પ્રવેશતા જ લોકો ઉપર ઓટોમેટીક સેનેટાઈઝનો છંટકાવ થાય છે. ગામના પ્રવેશદ્રાર પાસે જ સેવાભાવી યુવકો ૨૪ કલાક ફરજ નિભાવે છે. બહારના વ્યક્તિ માટે ગામમાં પ્રવેશબંધી છે.

003 4

આ ગામનો વતની અન્ય જિલ્લામાંથી આવતા તેને ગામમાં પ્રવેશ આપતા પહેલા ૧૪ દિવસ બાદલપરા ગામની બહાર હોમ કોરોન્ટાઈનમાં રાખવામાં આવે છે. ગામમાં જરૂરીયાતમંદ લોકોને બે વખત અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અગ્રણીશ્રી વરજાંગભાઈ કછોટે કહ્યું હતું કે, લોકડાઉન અમલમાં આવતા અમારા ગામમાં બહારના વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી. ગામમાં આવતા પહેલા દરેક લોકોને સેનેટાઈઝ ટનલ માંથી પસાર થવું પડે છે. ગામના મહિલા સરપંચ ભાવનાબેન બારડનો સહયોગ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.