Abtak Media Google News

UAEમાં યોજાનારા વર્લ્ડ કપ માટે તમામ ટીમોના જૂથની જાહેરાત આઈસીસીએ કરી છે. આ સાથે ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વભરના ક્રિકેટ ચાહકોની સૌથી મોટી ઈચ્છા પણ પૂરી થઈ છે. ICCએ આ ટૂર્નામેન્ટ માટે ભારત અને પાકિસ્તાનને એક જૂથમાં સ્થાન આપ્યું છે. સુપર -12 સ્ટેજ માટે ટુર્નામેન્ટમાં બે જૂથો બનાવવામાં આવ્યા છે, જેમાં ભારત અને પાકિસ્તાન ગ્રુપ 2 માં છે. આ બંને સિવાય ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન પણ આ ગ્રુપમાં રહેશે.  ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ ગ્રુપ 1 માં છે. તેની સાથે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવી ટીમો છે.

ICCએ  16 જુલાઈએ UAE અને ઓમાનમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ માટે સુપર -12 સ્ટેજ માટે ક્વોલિફાયર અને જૂથોની જાહેરાત કરવામાં આવી છે. ક્વોલિફાયર સ્ટેજમાં  8 ટીમોને 2 ગ્રૂપમાં  વહેંચવામાં આવી છે. સુપર -12ના બે ગ્રૂપમાં હાલમાં 8 ટીમોના નામ નિશ્ચિત છે. ક્વોલિફાયર સ્ટેજમાં  બંને જૂથોની 2-2 ટીમો સુપર -12 માં પ્રવેશ કરશે અને ત્યારબાદ વર્લ્ડ કપ માટેની સ્પર્ધા શરૂ થશે.

ભારત-પાકિસ્તાન છઠ્ઠી વખત ટકરાશે

ટૂર્નામેન્ટની મેચોનું શિડ્યુલ હજી બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ ગ્રૂપની ઘોષણા સાથે ભારત અને પાકિસ્તાનના ચાહકો માટે સૌથી મોટી મેચની રાહ જોવાની શરૂઆત થઈ ગઈ છે. 2007માં યોજાયેલા પ્રથમ ટી -20 વર્લ્ડ કપ બાદ બંને ટીમો પાંચ વખત એકબીજા સાથે ટકરાઈ છે, જેમાં ગ્રુપ સ્ટેજમાં ચાર અને એક ફાઇનલનો સમાવેશ થાય છે. દરેક વખતે ભારતીય ટીમ જીતી. આ ગ્રૂપમાં ભારત અને પાકિસ્તાન સિવાય ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન પણ છે. આ સિવાય ગ્રુપ-Aની રનર્સ-અપ અને ગ્રુપ-Bની વિજેતા ટીમોને બે ક્વોલિફાયર ટીમોનો સમાવેશ કરવામાં આવશે.

ગ્રુપ -1 માં હાલની વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને વનડે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇંગ્લેન્ડનો સમાવેશ થાય છે. ગ્રુપ-Aની વિજેતા અને ગ્રુપ Bની રનર્સ-અપ ટીમોને બે ક્વોલિફાયર ટીમો તરીકે સ્થાન મળશે. આ ટૂર્નામેન્ટ સુપર -12 મેચ પહેલા 17 ઓક્ટોબરથી ક્વોલિફાયર મુકાબલો શરૂ થશે. ક્વોલિફાયર માટે બે ગ્રૂપની રચના પણ કરવામાં આવી છે. તેના ગ્રુપ Aમાં પૂર્વ ચેમ્પિયન શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને નામિબીઆની ટીમો છે. જ્યારે બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પાપુઆ, ન્યૂ ગિની અને ઓમાન ગ્રુપ બીમાં છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.