Abtak Media Google News

પાકિસ્તાન દ્વારા સીમા પારથી કરવામાં આવતા ગોળીબારનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. વળતા હુમલામાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાન સેનાની પોસ્ટિંગ ચોકીઓ તોડી પાડી છે. તે સાથે જ ભારતીય સેનાએ 3-4 પાકિસ્તાની રેન્જર્સને પણ ઠાર કરી દીધા છે.ગુરુવારે રાતે પાકિસ્તાને પુંછ-રાજૌરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને મોર્ટાર છોડ્યા હતા.

આ પહેલાં બુધવારે જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં પાકિસ્તાને મોર્ટાર છોડ્યા હતા અને ગોળીબાર પણ કર્યો હતો. પાકિસ્તાની સેનાની આ હરકતના કારણે એક ભારતીય સેનાના જવાન શહીદ થઈ ગયા હતા. ત્યારે પણ ભારત તરફથી સેનાએ પાકિસ્તાનને આર્ટિલરી અને મોર્ટારથી જવાબ આપ્યો હતો.

ત્યારે પણ ભારતીય સેનાની આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાની ઘણી ચોકી બરબાદ થઈ ગઈ હતી. ત્યારે પાકિસ્તાને પણ સ્વીકાર્યું હતું કે આ દરમિયાન પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના દેવા સેક્ટરમાં તેમના બે જવાનના મોત થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.