- ભારતીય રેલવે વિશ્ર્વના સૌથી મોટો અને આધુનિક નેટવર્કમાંનું એક
- ભારતીય રેલવે થકી કાર્બન ઉત્સર્જન ઘટાડી ટકાઉ વિકાસમાં મહત્વનો ફાળો તેમજ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન મળ્યું
વ્હીલ્સના આવિષ્કારની સાથે જ દુનિયા અનેક ગણી ઝડપથી આગળ વધવા લાગી. આ ગતિને નવી દિશા સપ્ટેમ્બર1825માં ત્યારે મળી, જ્યારે વિશ્વની પ્રથમ ટ્રેને તેની યાત્રા શરૂ કરી. આ ક્રમમાં, 28 વર્ષ પછી 16 એપ્રિલ, 1853 ના રોજએ દિવસ પણ આવ્યો જ્યારે ભારતમાં પહેલી વાર ટ્રેન ચલાવવામાં આવી. તેના લગભગ 72 વર્ષો બાદ 3 ફેબ્રુઆરી 1925 ના રોજ ભારતીય રેલવેએ એક વધુ અધ્યાય જોડતા પ્રથમવાર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ થીકુર્લા, મુંબઈ સુધી તેની યાત્રા ઇલેક્ટ્રિકથી ચાલનારી ટ્રેન ચલાવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. હવે વર્ષ 2025 માં ભારતમાં રેલ વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાની સાથે, ભારત તેના બ્રોડગેજ નેટવર્કના 100% પ્રાપ્ત કરવાની કગાર પર છે, જે ભારતીયની સિદ્ધિઓમાં એક સીમા ચિહ્નરૂપ છે. આ સિદ્ધિ ભારતમાં પ્રથમ ટ્રેન યાત્રા જેટલી જ ઐતિહાસિક છે અને ભારતીયના વીજળી કરણમાં એક સદીની પ્રગતિનું પ્રતીક છે.
દુનિયામાં પ્રથમ વખત રેલ સંચાલનને ફક્ત 28 વર્ષો માં જ ભારતમાં પણ ટ્રેનો દોડવા લાગી. જોકે, ઇલેક્ટ્રિક થી ચાલનારા એન્જીનો ને અપનાવવામાં ભારતને વધુ સમય લાગ્યો. વર્ષ 1879 માં જર્મનીમાં પહેલી વાર ઇલેક્ટ્રિક પેસેન્જર ટ્રેન ચાલી, પરંતુ ભારતમાં આ ટેકનોલોજી પહોંચવામાં 46 વર્ષ નો સમય લાગ્યો. વિશ્વની પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન 1879 માં ચલાવવામાં આવી, જ્યારે ભારતે 1925 માં પ્રથમ વખત આ સુવિધાની શરૂઆત કરી. ઇલેક્ટ્રિક થી ચાલનારા એન્જિનો એ ખૂબ જ ઓછા સમયમાં તેમની ઉપયોગીતા સાબિત કરવામાં સફળતા હાંસિલ કરી લીધી.આ એન્જિન વધુ શક્તિશાળી, ઝડપી અને કાર્યક્ષમ હતા. ઓછી જાળવણી સાથે, તે પ્રદૂષણમુક્ત હતા અને ભારે ટ્રેનોને તીવ્ર ઢોળાવ પર આસાની થી ખેંચી શકતા હતા. શરૂઆતના દિવસોમાં વીજળીકરણ ની કિંમત વધુ હતી, પરંતુ શહેરી ટ્રાફિક અને મુંબઈ જેવા મહાનગરો માટે તે ખાસ ઉપયોગી સાબિત થયું.
20મી સદીના શરૂઆતના વર્ષોમાં મુંબઈની ઝડપથી વધતી વસ્તી માટે ટ્રાફિક માટે એક અસરકારક અને કાર્યક્ષમ ઉકેલ શોધવો જરૂરી બન્યો હતો. સ્ટીમ એન્જીન પુણે અને નાસિક ની તરફ જતા તીવ્ર ઢોળાવને સંભાળવામાં અસમર્થ હતા. આનાથી વિદ્યુતીકરણની જરૂરિયાત વધુ વધી ગઈ.
1904માં બોમ્બે પ્રેસિડેન્સી સરકાર ના ચીફ એન્જિનિયર ડબલ્યુ.એચ. વ્હાઇટે મુંબઈમાં બે મુખ્ય રેલ નેટવર્ક – ગ્રેટ ઇન્ડિયન પેનિનસુલા અને બોમ્બે બરોડા અને સેન્ટ્રલ ઇન્ડિયા નું કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જો કે પ્રથમ વિશ્વયુદ્ધને કારણે આ પ્રોજેક્ટ અસ્થાયી રૂપે રોકવામાં આવ્યો ,પરંતુ 1920 સુધીમાં, બોમ્બે-પુણે, ઇગતપુરી અને વસઈ લાઇનના ની યોજનાઓને મંજૂરી મળી ગઈ.
3 ફેબ્રુઆરી 1925ના રોજ, ભારત ની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન ને 1500 વોલ્ટ ડાયરેક્ટ કરંટ પર છત્રપતિ શિવાજી ટર્મિનસ અને કુર્લા વચ્ચે16 કિલોમીટરનું અંતર પૂરું કર્યું. આ ભારતીય ના સ્વચ્છ અને આધુનિક પરિવહનની શરૂઆતનું પ્રતીક બન્યું. આ પગલા સાથે, ભારત વિશ્વનો 24મો અને એશિયાનો ત્રીજો દેશ બની ગયો જેણે ઇલેક્ટ્રિક રેલ સેવાઓ સંચાલિત કરી .
મુંબઈ ની સાથે-સાથે દક્ષિણ ભારતે પણ ની દિશા માં પગલાં લીધાં. દક્ષિણ ભારત રેલ્વે જે દક્ષિણ ભારત ના મુખ્ય નેટવર્ક, તેને તેના ઉપનગરીય નેટવર્કનું 1500 વોલ્ટ ડીસી સિસ્ટમ પર કર્યું. મદ્રાસ બીચ (હવે ચેન્નાઈ) થી તાંબરમ સુધીની લાઇન ને 1931 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવી હતી. આ સેક્સન ભારત ના કેટલાક મીટરગેજ વિદ્યુતિકૃત માર્ગો માંથી એક છે. 1947 માં ભારતની સ્વતંત્રતા ના સમયે, દેશમાં ફક્ત 388 કિલોમીટર રેલ લાઇનનું થયું હતું, જે મુખ્યત્વે મુંબઈ અને મદ્રાસની આસપાસ કેન્દ્રિત હતું.
જ્યાં મુંબઈએ વિદ્યુતીકરણમાં અગ્રણી ભૂમિકા નિભાવી, ત્યાં પૂર્વ ભારતમાં આ પ્રક્રિયા મોડી શરૂ થઈ. આનું મુખ્ય કારણ વિશ્વ યુદ્ધો અને 1930 ના દાયકાની મહામંદી જેવી ઘટનાઓ હતી. 1950 ના દાયકામાં કોલકાતા (તે સમયે કલકતા ) માં વિદ્યુતીકરણની પ્રક્રિયાએ વેગ પકડ્યો. 1954 માં, ભારતીય એ યુરોપિયન મોડેલોનો અભ્યાસ કર્યો અને આ પ્રદેશ માટે 3000 વોલ્ટ ડીસી સિસ્ટમ પસંદ કરી. ડિસેમ્બર 1957 માં, પૂર્વ ભારતમાં હાવડા અને શિયોરાફુલી વચ્ચેના પ્રથમ પામેલા ટ્રેકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
નવેમ્બર 1957 માં ભારતીય એ 25 કેવી એસી સિસ્ટમને વીજળીકરણના માટે ધોરણ તરીકે અપનાવી.
તે જ સમયે, ફ્રાન્સના એસએનસીએફ એ 25,000 વોલ્ટની એસી સિસ્ટમ વિકસાવી, જેને શરૂઆતમાં શંકાની નજરે જોવામાં આવી. આ સિસ્ટમનું 1959માં રાજખરસાવન-ડાંગોપોસી વિભાગ પર સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નવેમ્બર 1957માં, ભારતીય રેલ્વેએ 25 કેવી એસી સિસ્ટમને વીજળીકરણના ધોરણ તરીકે અપનાવી, જેનાથી ભારત સોવિયેત યુનિયન પછી આવું કરનાર બીજો દેશ બન્યો.સ્વચ્છ પરિવહન તરફ એક મજબૂત પગલું: રેલ વિદ્યુતીકરણનો રાષ્ટ્ર પર ઊંડો અને લાંબા ગાળાનો પ્રભાવ છે. તે સ્વચ્છ અને હરિયાળા પરિવહનનું માધ્યમ પૂરું પાડે છે, જેનાથી પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન મળે છે. સુધારેલી માલવાહક ક્ષમતા અને લાઇન માલવાહક ખર્ચમાં સુધારા સાથે, આ રેલ નેટવર્કને વધુ કાર્યક્ષમ અને ખર્ચ-અસરકારક બનાવે છે. વધુમાં, તે કાર્બન ઉત્સર્જન ઘટાડીને ટકાઉ વિકાસમાં ફાળો આપે છે. ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતામાં ઘટાડો કિંમતી વિદેશી ચલણની બચત પણ સુનિશ્ચિત કરે છે, જેનાથી રાષ્ટ્રની આર્થિક મજબૂતાઈ સુનિશ્ચિત થાય છે.
1966 સુધીમાં, પૂર્વ અને દક્ષિણ-પૂર્વ રેલ્વે ઝોનમાં અડધાથી વધુ નૂર પરિવહન ઇલેક્ટ્રિક ટ્રેક્શન દ્વારા સંચાલિત થવાનું શરૂ થયું. હાવડા, સિયાલદાહ અને ખડગપુર વિભાગોમાં ઉપનગરીય નેટવર્કનું ઝડપથી વીજળીકરણ થયું. ઇલેક્ટ્રિક ટ્રેનોના ફાયદા, જેમ કે ડીઝલ પરની નિર્ભરતામાં ઘટાડો, વધુ કાર્યક્ષમતા અને પર્યાવરણીય સંરક્ષણ, એ વીજળીકરણ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી. આગામી દાયકાઓમાં, ભારતીય રેલ્વેના વીજળીકરણમાં અભૂતપૂર્વ ગતિ આવી.2014-
15 ની વચ્ચે, દરરોજ લગભગ 1.42 કિલોમીટર વીજળીકરણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, ભારતીય રેલ્વેએ બ્રોડગેજ નેટવર્ક પર લગભગ 45,200 રૂટ કિલોમીટરનું વીજળીકરણ પૂર્ણ કર્યું. જ્યારે 2023-24 દરમિયાન, દરરોજ લગભગ 19.7 કિલોમીટરના વિદ્યુતીકરણનો રેકોર્ડ બન્યો હતો. જ્યારે દેશમાં 2014 સુધી 21801 છઊંખ હતું, 2014-24 વચ્ચે વિદ્યુતીકરણમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ હતી અને માત્ર એક દાયકામાં તે વધીને 44199 છઊંખ થઈ ગઈ હતી. 2025 માં, જ્યારે ભારત રેલ્વે વિદ્યુતીકરણના 100 વર્ષની ઉજવણી કરશે, ત્યારે આ સિદ્ધિ એ વિઝન અને તકનીકી પ્રગતિની સાક્ષી આપશે જેણે ભારતીય રેલ્વેને વિશ્વના સૌથી મોટા અને સૌથી આધુનિક નેટવર્ક્સમાંનું એક બનાવ્યું છે.
ડો. જયદીપ ગુપ્તા (અપર સદસ્ય, રેલ્વે વિદ્યુતીકરણ, બોર્ડ)