Abtak Media Google News

સીધુને ભરી પીવા ગમે તે પગલું લેવા ખચકાઈશ નહી : અમરીંદર સિંઘનો હુંકાર 

અબતક, નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહએ નવજોત સિંહ સિદ્ધુ અને કોંગ્રેસ નેતૃત્વ સામે ભારે ગુસ્સો ઠાલવ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહે અહીં સુધી કહી દીધુ છે કે, સિદ્ધુને પંજાબના સીએમ બનતા રોકવા માટે કોઇ પણ ભાગ આપીશ, પરંતુ એમને મુખ્યમંત્રી નહીં બનવા દઉં.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને અનુભવ વગરના નેતા સંબોધતાં કહ્યું કે, તેમના સલાહકારો એમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વાસ્તવમાં પંજાબમાં ચરણજીત સિંહ ચન્ની સીએમ બનતાં જ કેપ્ટનની પ્રતિક્રિયા પર સૌની નજર હતી. ચરણજીત સિંહ ચન્નીના શપથ સમારોહમાં સામેલ ના થઇને પૂર્વ સીએમએ સ્પષ્ટ રીતે જાહેર કરી દીધુ હતું કે કોંગ્રેસના નિર્ણયથી તેઓ નિરાશ છે.

પંજાબના રાજકીય ઘટનાક્રમ વચ્ચે પૂર્વ સીએમના મીડિયા સલાહકારે એક પછી એક ટ્વીટ કરી નવજોત સિંહ સિદ્ધુનો ભારે વિરોધ નોંધાવ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહ તરફથી કરવામાં આવેલી એક ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે સિદ્ધુને પંજાબના સીએમ બનતા રોકવા માટે કોઇ પણ બલિદાન આપવા માટે તૈયાર છું. 2022 વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધુને હરાવવા માટે મજબૂત ઉમેદવારને એમની સામે ઉભો કરીશ.

અન્ય એક ટ્વીટ દ્વારા પંજાબના પૂર્વ સીએમ કહે છે કે હું જીત્યા પછી રાજકારણ છોડવા તૈયાર હતો, પરંતુ હાર પછી તો ક્યારેય નહીં. મેં દિવસો પહેલા સોનિયા ગાંધીને મારું રાજીનામુ સોંપી દીધું હતું. એમણ મને પદ પર રહેવા માટે જણાવ્યું હતું. તેમણે રાહુલ અને પ્રિયંકા ગાંધીને લઇને પણ એક ટ્વીટમાં ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.