Abtak Media Google News

ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતી ઉજવણીમાં વ્યાપક જનભાગીદારી-પીપલ્સ ઇન્વોલ્વમેન્ટ પ્રેરિત કરવાની નેમ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિની આગામી તા.રજી ઓકટોબર-ર૦૧૮થી શરૂ થનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ગુજરાત ગરિમામય ઉજવણીથી ગાંધી મૂલ્યોને ચીરંજીવ બનાવશે તેવી નેમ દર્શાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગાંધીજીની વતનભૂમિ એવા ગુજરાતની આ જન્મજયંતિ ઉજવણીમાં વિશેષ જીમ્મેદારી બને છે અને તે અનેક રચનાત્મક કાર્યક્રમો યોજીને આપણે પાર પાડવી છે.

વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગાંધીજીના જન્મથી લઇને તેમના રાષ્ટ્રપિતા સુધીના જે સ્થળો ગુજરાતમાં તેમના જીવન-કવન સાથે જોડાયેલા છે તેનું ઇન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલપમેન્ટ કરી તેની મૂલાકાતે વધુ લોકો આવે તેવું આયોજન આ ઉજવણી દરમ્યાન કરવાની નેમ છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બેય ગાંધી ૧પ૦મી જન્મજયંતિ ઉજવણીની ભવ્ય ઉજવણી માટે સંકલ્પબધ્ધ છે ત્યારે ગાંધીના ગુજરાતમાં આપણે મુખ્યત્વે ત્રણ બાબતોના કાર્યઆયોજની આ ઉજવણી કરવી છે, તેમણે આ અંગેની વિશદ ભૂમિકા આપી હતી. વિજયભાઇ રૂપાણીએ વર્તમાન સ્થિતિમાં ગાંધીજીના વિચારોનું સાતત્યપૂર્ણ રિલેવન્સ સાધી શકાય તે પ્રકારના કાર્યક્રમોથી યુવા પેઢીને ગાંધી શાશ્વત મૂલ્યો તરફ વાળવાના વાતાવરણ નિર્માણનો અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે, રાજ્ય સ્તરીય બેઠકમાં આવતા સૂચનો-સૂઝાવો પર પરામર્શ-વિચાર કરીને ઉજવણીને આખરી ઓપ અપાશે. મુખ્યમંત્રીએ ગાંધી વિચાર મૂલ્યો સાથે જોડાયેલી સેવા સંસઓ પણ ૧પ૦મી ગાંધીજ્યંતિ ઉજવણીમાં યોગદાન આપે અને નવિન વિચારો સો આગળ આવે તો રાજ્ય સરકાર યોગ્ય પ્રોત્સાહન-મદદ આપશે તેમ પણ ઉમેર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, ગાંધીજી સૌને અનેક રીતે વિવિધ પરિપ્રેક્ષ્યમાં નિયમીત રીતે યાદ આવે જ તેવું તેમનું વ્યકિતત્વ અને કતૃત્વ રહ્યા છે.

નવી પેઢીમાં ગાંધી વિચારોનું સંવર્ધન થાય, એ પેઢી પણ ગાંધી જીવન દર્શન પ્રત્યે ઝડપી આકર્ષિત થાય તેવા કાર્યક્રમો સૌએ સાથે મળીને ઉજવવા જોઇએ. નાયબ મુખ્યમંત્રીએ ગાંધી વિચારો સમાજ જીવનમાં વધુ સુદ્રઢ અને ઉપયુકત બને તે હેતુસર ઉજવણી કાર્યક્રમો લોકભોગ્ય બનાવવાની આવશ્યકતા વર્ણવી હતી.બેઠકના પ્રારંભમાં યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ સચિવ વી.પી.પટેલે ઉજવણી અંગેના રાજ્ય સરકારના ભાવિ આયોજનની પ્રસ્તુતિ કરી હતી.

શ્રીમદ રાજચંન્દ્ર મિશન ધરમપૂરના ભાવિન રૂપાણીએ પણ પ્રેઝન્ટેશનના માધ્યમી આ ઉજવણીને ગાંધીજીની આધ્યાત્મીકતા સાથે જોડી શકાય તેનું નિદર્શન કર્યું હતું. વાંચે ગુજરાત અભિયાનના મહાદેવ દેસાઇ, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડયા, સાબરમતી આશ્રમના કાર્તિકેય સારાભાઇ, લોકભારતી સણોસરાના  અરવિંદભાઇ તેમજ સૌરાષ્ટ્ર રચનાત્મક સેવા સમિતીના દેવેન્દ્ર દેસાઇ વગેરેએ પોતાના સૂચનો-મંતવ્યો વ્યકત કર્યા હતા. યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના કમિશનર સતિષ પટેલે બેઠકમાં જોડાયેલા સૌનો આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.