Abtak Media Google News

દુબઈનું ભેજવાળું ગરમ વાતાવરણ બોલરો માટે અડચણ બનશે 

ભારતથી શરુ થયેલી આઈ પી એલ  ભારતમાં ફક્ત એક રમત નહિ પરંતુ એક ઉત્સવ બની ગયો છે. જે ધીમે ધીમે આખી દુનિયામાં તેની ચાહના ફેલાઈ છે. ત્યારે કોરોનાની મહામારી આ વર્ષે આઈપીએલ  માટે ઘણા વિઘ્નો લાઈને આવ્યું હતુંમ ત્યારે એન કેન પ્રકારે આ વર્ષે દુબઇ ખાતે આઇપીએલ  રમવાની પરવાનગી મળી છે. ત્યારે દુબઈનું ગરમી વાળું ગરમ વાતાવરણ ખેલાડીઓને ખુબ અડચણ  રૂપ બની રહેશેમ જેથી ખેલાડીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ગરમ વાતાવરણ ખાસ કરીને બોલરોને અસર પહોંચાડે છે. જેથી બોલરોને પોતાની રમત બહાર લાવવામાં નડશે તેવું લાગી રહ્યું છે.

સાઉથ આફ્રિકન સ્ટાર એબી ડીવિલર્સના જણાવ્યા મુુુજબ ભારતીય પ્રીમિયર લીગમા બધી ટિમો માટે સૌથી મોટું ચેલેન્જ યુએઈની પૂર્વ- ગરમ અને ભેજવાળું વાતાવરણ થઈ રહેશ. જોકેે મોટાભાગની રમતો રાત્રે રમવામાં આવનાર છે, પરંતુ હજુ પણ આઈપીએલ ૨૦૨૦ ને પડકારજનક રહેશે.આહીનું વાતાવરણ ખૂબ જ ગરમ છે, જે  મને જુલાઈમાં ચેનાઇમાં એક વખત રામેલા એક ટેસ્ટ મેચની યાદ અપાવે છે. જ્યાં વીરુએ  ૩૦૦ રન બનાવ્યાં હતા. આરસીબી ના ટ્વિટર પર પોસ્ટ કરેેેલા એબી ડી વિલિઅર્સડ્રીમ ૧૧ આઇપીએલ માટેની તૈયારી વિશે વાત  કરી. તેેમજ તેમના દ્વારા જણાવાયુ હતું કે એબી દુબઇ પહોંચ્યો ત્યાંરે જ તેેેણે ત્યાંનું વાતાવરણ ચકાસી લીધું હતું. જે હાલ પહેેલા કરતા  ઘણું શુધરી રહ્યું છે. દુબઈનું ગરમ વાતાવરણ આઈપીએલ  માટે મોટી ભૂમિકા ભજવશે ખાસ કરીને બોલરોને અડચણ રૂપ પણ બની શકે છે. ડીવિલિયર્સ દ્વારા વધુમાં એમ પણ જણાવ્યું હતુંકે કોરોનાની મહામારીને કારણે આ વર્ષે મેચો ભારતને બદલે દુબઇમાં રમાશે જે એક નવો અનુભવ રહેશેમ કોરોનાની મહામારીને કારણે દર્શકોની ગેર હાજરીમાં મેચ રમાશે

બધા પ્લેયરો  એક મોટા સ્ટેજ પર ભીડની સામે રમવા માટે ટેવાયેલા છે. અને ભીડ સામે રમતી વખતે દરેક પ્લયેરને એક જુસો મળી રહે છે.

ખાસ કરીને ચિન્નાસ્વામી ભીડ સામે રામે છે ત્યારે તેમનો દેખાવ ખુબ સારો રહેતો હોયછે, ત્યારે તેને રોકવું મુશ્કેલ છે.એબી ડિવિલિયર્સ એ જણાવ્યું હતું કે તે ખાલી સ્ટેડિયમમાં ખૂબ ક્રિકેટ રમ્યો છું.  હું એમજ  મોટો થયો. ૩૬ વર્ષીય સાહસિક  ક્રિકેટર, જેને વિશ્વ ક્રિકેટના વિનાશક બેટ્સમેનોમાંના એક તરીકે ગણવામાં આવે છે, તેણે કહ્યું હતું કે માત્ર તેમને જ નહીં, માર્ચના મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અટકી પડ્યા પછી આ ઈ પી એલ માટે ઉડાન ભરીને   દરેક પ્લેયર  ખુશ છે. વિરામ બાદ ફરી રમવા આવેલા ખેલાડીઓની સાથે મેચ રમતા રમતના ધોરણમાં કોઈ ઘટાડો થશે કે કેમ તે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તે તો હવે સમયજ જણાવશેમ “છેલ્લા ૩ થી ૫ વર્ષમાં ૩ઝઈઈં માં કેટલીક શ્રેષ્ઠ બોલિંગનો સામનો કરવો પડ્યો નથી, બોલરો  ઉતરતા હતા,  તેઓએ ગતિની ભિન્નતા સાથે કેટલીક મહાન કુશળતા બતાવી. હાલ દરેક પ્લયેરો રમત માટે  ખૂબ ભૂખ્યા છે, ઇચ્છા ત્યાં છે, પ્રેરણા. પણ છે  હવે તે લોકો ફરીથી નવી  એનર્જી સાથે  આવી રહ્યા છે, તેથી મને લાગે છે કે આ વખતની આઈ પી એલ  માં નવીજ રમત જોવા મળશેમ

કોરોનાની મહામારીને કારણે કેટલા સમયથી ક્રિકેટની રમત બંધ હતી ત્યારે દુબઇ ખાતે રમાનાર આઈ  પી એલ રમવા માટે દરેક ખેલાડી ઉત્સાહી છે. પરંતુ દુબઇનું ગરમી વાળું વાતાવરણ ખેલાડીઓના દેખાવને અસર પોહ્ચાડસેમ ૨૧ સપ્ટેમ્બરના રોજ આરસીબી  અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે મેચે થનાર છે. જેને લઈ ટિમો  ખુબ મહેનત કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.