Abtak Media Google News

કેન્દ્ર સરકાર હુર્રિયત કોન્ફરન્સ વિરુદ્ધ મોટી કાર્યવાહીની ફિરાકમાં

કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં હુર્રિયત કોન્ફરન્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી શકે છે. સરકાર UAPA હેઠળ પ્રતિબંધ લગાવીને હુર્રિયતના તમામ જૂથોને ગેરકાયદેસર સંગઠન જાહેર કરી શકે છે.  જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ફાઇનાન્સ કરવામાં હુર્રિયતના ઘટકો અને નેતાઓની કથિત સંડોવણી જણાવવામાં આવી રહી છે.

ગૃહ મંત્રાલય આગામી દિવસોમાં UAPAની કલમ 3(1) હેઠળ હુર્રિયત કોન્ફરન્સના તમામ જૂથોને ગેરકાયદેસર ઠેરવવા પર અંતિમ નિર્ણય લેશે। જેમાં મધ્યમ હુર્રિયત અને તહરીકનો સમાવેશ થાય છે. હુર્રિયત, જેનું નેતૃત્વ એક સમયે દિવંગત કટ્ટરપંથી નેતા સૈયદ અલી શાહ ગિલાની કરતા હતા.

અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર અને NIA એ હુર્રિયતને ‘ગેરકાયદેસર સંગઠન’ તરીકે સૂચિબદ્ધ કરવા માટે કેન્દ્રને પહેલેથી જ ઇનપુટ્સ આપ્યા હતા પરંતુ ગૃહ મંત્રાલયે વધારાના ઇનપુટ્સ અને ડેટાની માંગ કરી હતી.  સૂત્રોએ જણાવ્યું હતું કે સ્પષ્ટતા અને વધારાની માહિતી હવે સબમિટ કરવામાં આવી છે અને એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં હુર્રિયત કોન્ફરન્સના તમામ જૂથો અને મોરચાઓ પર પ્રતિબંધો લાદવાનો નિર્ણય લેવામાં આવશે.

તાજેતરના વર્ષોમાં હુર્રિયત નેતૃત્વ વિરુદ્ધ અનેક આતંકવાદી મામલા સામે આવ્યા છે, ત્યારબાદ કાશ્મીર ઘાટીમાં હુર્રિયત કોન્ફરન્સની હાજરી અને ગતિવિધિઓમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.  UAPA પ્રતિબંધ સાથે, હુર્રિયત કોન્ફરન્સ દ્વારા કથિત રીતે આયોજિત આતંકવાદી ભંડોળના માર્ગો બંધ થઈ શકે છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.  તેમણે કહ્યું કે એકવાર પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી, હુર્રિયત અને તેના તમામ જૂથોએ તેમની ઓફિસો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.