Abtak Media Google News
ચાર શખ્સોએ આગેવાનને કામ માટે બોલાવી પાઇપ અને ઢીકાપાટુનો માર મારી રોકડની લૂંટ ચલાવી

જાફરાબાદમાં સ્વાધ્યાય મંદિર પાસે ખારવા સમાજના આગેવાન પર પાઇપ વડે હુમલો કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હતી. જ્યાંથી આગળ હતા આગેવાનને અન્ય બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જાફરાબાદમાં ખોડીયાર મંદિર પાસે રહેતા અને મચ્છીમારીનું કામકાજ કરતા ખારવા સમાજના આગેવાન જયંતીભાઈ છનાભાઈ બાંભણિયા નામના 40 વર્ષના યુવાનને સ્વાધ્યાય મંદિર પાસે બોલાવી ભગા રાણા બાંભણિયા વાલકાવાડા અને લાખા નથા ઉર્ફે કોટવાળીયાએ ગાળો ભાંડી તેને આગેવાન બન્યા પછી હવા આવી ગઈ છે તેમ કહીને પાઇપ વડે હુમલો કરી આગેવાનના ખિસ્સામાંથી રોકડા રૂ.2000 લૂંટી નાસી ગયા હતા.ત્યાર બાદ જયંતીભાઈ બાંભણિયા આગળ ગયા ત્યારે સંતોષી માતાના મંદિર પાસે રામજી રાણા બાંભણિયા અને તુલસી ભગુ બાંભણિયા ઉર્ફે ચાઈનીઝવાડાએ રોકી જયંતીભાઈ બાંભણિયાને આગેવાન બન્યા પછી તું ખૂબ વાયડો થઈ ગયો છે તેમ કહીને ઢીકાપાટુનો માર મારતા આગેવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આ અંગે ઘટનાની જાણ થતા જાફરાબાદ પોલીસ મથકના હેડ કોન્સટેબલ બી.એમ.વાઘેલા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં ખારવા સમાજના આગેવાન જયંતીભાઈ બાંભણિયાની ફરિયાદ પરથી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.