Abtak Media Google News

લીંબડી શહેર સમસ્ત દ્રારા જમ્મુ-કશ્મીર નાં પુલવામાં વીર શહિદોને શ્રધ્ધાંજલી આપવા માટે લીંબડી શહેરનાં સમસ્ત લોકો આઝાદ ચોક ખાતે એકઠા થઇ રાત્રે ૮-૦૦ કલાકે કેન્ડલ પ્રગટાવીને તથા મૌન પાળીને ઓમ શાંતિ નાં નાદ સાથે શહિદોને શ્રધ્ધાંજલી આપી હતી. આ શ્રધ્ધાંજલીમાં સ્વામીનારાયણ મંદિરનાં સંતગણ તથા રામકૃષ્ણ મિશનનાં સંતગણ તથા સમસ્ત વોરા સમાજ અને મુસ્લીમ સમાજનાં લોકો તેમજ પ્રકાશભાઇ સોની, ભગીરથસિંહ રાણા, બકુલભાઇ ખાખી, ગેડીવાળા પ્રવિણભાઇ, ધીરૂભાઇ ખાંદલા, ઝાફરભાઇ ગોઠીયા, યુનીસભાઇ, મહેન્દ્રભાઇ, દિલીપભાઇ વલેરા, રઘુભાઇ ભરવાડ, કેતનભાઇ વ્યાસ સર્વે લોકોએ હાજરી આપી આઝાદી અમર રહો તથા વંદે માતરમ્ ના નારાં સાથે વીર શહિદોને ભાવભીની શ્રધ્ધાંજલી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.