Abtak Media Google News

6માસ પહેલા પોલીસે ચાર્જશીટ રજુ કર્યા બાદ આરોપીઓ વિરૂધ્ધ કેસ ચલાવવાની પ્રાથમિકતા

જામનગરના ભાગેડુ ભુમાફીયા જયેશ પટેલના 12-સાગરીતો સામે ’ગુજસીટોક કાયદા હેઠળ નોધાયેલ ફોજદારી કેસમા 6 માસની અવધી દરમ્યાન તમામ સામે તપાસનીશ અમલદારે એપ્રિલ-2021 મા વિવિધ કાયદાની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ રજુ કરેલ હતું. ચાર્જશીટ રજુ થયા બાદની તમામ આરોપીઓની જામીન અરજીઓ રાજકોટની ખાસ અદાલતે તેમજ  હાઈકોર્ટે રદ કરી હતી. ફોજદારી કાયદાની જોગવાઈ મુજબ હવે આ તમામ આરોપીઓ સામે ખાસ અદાલત “ગુજસીટોક” તેમજ ઈન્ડીયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ તહોમતનામુ ઘડી આરોપીઓ સામેનો પુરાવો નોધવાની કાર્યવાહી શરૂ કરશે. આ માટે રાજકોટની ખાસ અદાલતે તમામ આરોપીઓને સુરત, બરોડા, અમદાવાદ, જામનગર, રાજકોટ, નડીયાદ વિગેરેની જેલોમાંથી તહોમતનામુ ફરમાવવા માટે હાજર રહેવાનો આદેશ કરેલો હતો.

રાજકોટની ખાસ અદાલતના આ હુકમ મુજબ ભુમાફીયા જયેશ પટેલના મહેતાજી તરીકે કામ કરતા અનિલ દિનેશભાઈ ડાંગરીયા, જયેશ પટેલના વકિલ તરીકે કામ કરતા વસતલાલ લીલાધર માનસતા, નાણાકીય લેવડદેવડ કરતા મુકેશ વલ્લભભાઈ અભગી , નિલેશ મનસુખભાઈ ટોલીયા, જયેશ પટેલના મસલમેન તરીકે કામ કરતા જાડેજા બધુઓ યશપાલસિહ મહેન્દ્રસિહ જાડેજા અને જશપાલસિહ મહેન્દ્રસિંહ જાડેજા, નાણાકીય લેવડદેવડ અને આગડીયાની સવલત કરી આપતા તથા વિદેશમા નાણા પહોંચાડવાની વ્યવસ્થા કરી આપતા જીગર ઉર્ફે જીમ્મી પ્રવિણભાઈ આડતીયા , પ્રવિણભાઈ પરસોતમભાઈ ચોવટીયા, અનિલ મનજીભાઈ પરમાર અને પ્રફુલભાઈ જેન્તીભાઈ પોપટને આજરોજ ખાસ અદાલતમા હાજર કરાયેલા હતા. આ ઉપરાંત પ્રજાના સેવક  જામનગર  કોર્પોરેશનના કાર્પોરેટર  જયેશ પટેલના કોર્પોરેશનના તમામ કામો

પુરા કરી આપતા અતુલભાઈ વિઠલભાઈ ભડેરી તેમજ પ્રજાની જાનમાલની સુરક્ષા માટે પોલીસ અમલદાર તરીકે ફરજ બજાવવાના બદલે જયેશ પટેલ વિરૂધ્ધ ફરીયાદ આપવા આવનાર કોઈપણ વ્યક્તિને ડરાવી ધમકાવી આપતા નિવૃત પોલીસમેન વશરામભાઈ ગોવિદભાઈ મિયાત્રાને પણ ખાસ અદાલતમા તેઓ વિરૂધ્ધ તહોમતનામુ ફરમાવવા માટે હાજર કરાયેલા હતા.આ કેસમા  સરકાર તરફે સ્પે. પી.પી. તરીકે નિમાયેલ જિલ્લા સરકારી વકિલ સજથભાઈ કે. વોરા હાજર રહેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.