Abtak Media Google News

દેશભરમાં મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાંધણગેસના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા રાંધણગેસના ભાવ વધારાની સામે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

Whatsapp Image 2022 07 07 At 1.08.28 Pmરાંધણગેસમાં ભાવ વધારા તેમજ મોંઘવારી મુદે પ્રજામાં આક્રોશ છવાયો છે.રાંધણગેસમાં ભાવ વધારાને લઇ જામનગરમાં કોંગ્રેસ દ્વારા ખંભાળિયા ગેઇટ પાસે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા આનંદ રાઠોડ, પૂર્વ વિરોધ પક્ષ નેતા અને કોર્પોરેટર અસલમ ખીલજી, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, રંજનબેન ગજરા, આનંદ ગોહિલ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ધરણાં કરી રાંધણગેસમાં ભાવવધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.