Abtak Media Google News

જામનગરના ચાંદી બજારમાં આવેલા ઉપાશ્રય ખાતે આજરોજ પૂજ્ય પુષ્પાબાઈ મહાસતીજી 83 વર્ષની વયે કાળધર્મ પામ્યા છે. આજે સાંજે ચાંદી બજાર સંઘમાંથી પૂ. પુષ્પાબાઈ મહાસતીજીની પાલખી યાત્રા નીકળી હતી. તેઓએ 39 વર્ષ પહેલાં દીક્ષા લીધી હતી અને 13 દિવસ પહેલા સંથારો. આજે તેમના ઉપવાસનો 20મો દિવસ હતો પરંતુ આજરોજ અરિહંત શરણ પામેલ છે.

Img 20210603 Wa0244

પરમપૂજ્ય પુષ્પાબાઇ મ.સ. ડુંગરજશ ઝવેર સમય પ્રભા દિવ્યા ગુરૂણીના સુશિષ્યા હતા. જામનગર મુકામે કાળધર્મ પામ્યા છે. સાંજે ચાંદીબજાર સંઘમાંથી તેઓની પાલખી યાત્રા યોજાઇ હતી. પૂજ્ય મહાસતીજીની પાલખી યાત્રા દરમિયાન જૈનસમુદાયના વિવિધ સંઘના ટ્રસ્ટીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં જૈનસમાજના લોકોએ હાજરી આપી અંતિમ દર્શન કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.