Abtak Media Google News

ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ જસદણમાં વિનામૂલ્યે શરૂ કરેલી કોવિડ હોસ્પિટલમાંથી 32 દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. 

જસદણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ જસદણ ખાતે દેવશીભાઇ છાયાણીની હીરાની ફેકટરીમાં ઓક્સિજન, દવા, સારવાર, ભોજન સહિતની તમામ વ્યવસ્થા અને સારવાર વિનામૂલ્યે આપતી કોવિદ સારવાર હોસ્પિટલ શનિવારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલના હસ્તે શરૂ કરી હતી. અને શરૂ કર્યાના માત્ર એક જ કલાકમાં તમામ એકસો બેડ ભરાઈ ગયા હતા. માત્ર ચાર જ દિવસમાં આ હોસ્પિટલમાંથી ચોત્રીસ દર્દીને ઓક્સિજન સહિતની સારવાર આપીને સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. કોવિદ દર્દી નીલમબેન હિતેશભાઈ ધારૈયાએ રજા આપ્યા બાદ જણાવ્યું હતું કે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઓક્સિજન લેવલ ઘટવા સાથે ઘણી તકલીફ હતી. જસદણ કે રાજકોટ કોઈ પણ જગ્યાએ સરકારી કે ખાનગીમાં ક્યાંય પણ જગ્યા હતી નહિ ત્યારે ડો. ભરતભાઈ બોઘરાએ આ હોસ્પિટલ શરૂ કરતાં ખુબજ સારી સારવાર મળી હતી. હું સ્વસ્થ થતા મને રજા આપવામાં આવી છે. હું ડો. ભરતભાઇ બોઘરાનો આભાર માનું છું એમ નીલમબેન ધારૈયાએ જણાવ્યું હતું. રજા આપતી સમયે ભાડલના વલ્લભભાઈ ધરમશિભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અત્યારે પૈસા દેતા પણ કોઈ હોસ્પિટલમાં જગ્યા નથી ત્યારે ડો. બોઘરા સાહેબે આ હોસ્પિટલમાં એક નયો કાવડિયો લીધા વગર મફતમાં શ્રેષ્ઠ સારવાર આપી સ્વસ્થ કરી રજા આપવામાં આવી છે. કનેસરના દેવુબેન રવાભાઈ માલકિયા, વિંછીયા મમતાબેન કિર્તીભાઇ જસાણી, કોઠીના  કંકુબેન  નાનજીભાઈ બાવળીયા,  વિરનગરના અંજનાબેન ભુપતભાઈ વેકરીયા,  જસદણના દિલીપભાઈ નનુભાઈ રોકડ સહિતના દર્દીઓએ રજા આપતી સમયે જણાવ્યું હતુ કે ડો.ભરતભાઈ બોઘરાએ કોવિદ સારવાર માટે શરૂ કરેલી હોસ્પિટલ એ સાચી લોક સેવાના યજ્ઞ સમાન છે.

હાલમાં આ હોસ્પિટલમાં કુલ 122 દર્દી સારવાર હેઠળ છે. અહી દાખલ કરેલા દર્દી પિયુષભાઈ મગનભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ઓક્સિજન ઘટી ગયા બાદ ખુબ જ  પ્રયત્નો કરવા છતાં ક્યાંય જગ્યા મળતી નહીં પરંતુ બોઘરા સાહેબે શરૂ  કરતાં મને અહી જગ્યા મળી અને હાલ હું અહી દાખલ થઈ સારવાર લઈ રહ્યો છું. અહી ડો. પંકજભાઈ કોટડીયા, ડો. કેતનભાઈ પટેલ સહિતની ટીમ ખુબ જ સારી સેવા આપી રહી છે. યોગેશભાઈ વલ્લભભાઈ છાયાણી,  ઇશ્વરીયા રોહિતભાઈ રાઘવભાઈ મારકણા, જસદણના મુશતનસીન અબ્બાસભાઈ ધનકોટ, કેયુર ઢોલરિયા સહિતના અનેક દર્દીએ અહી સારવાર બદલ  સંતોષ વ્યક્ત કરી સેવા ભાવનાને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અહી ઓક્સિજન વ્યવસ્થા વાળા પચાસ બેડ અને કોવિદ કેર માટે પચાસ બેડ છે. શરૂઆતમાં ઓક્સિજનના બાટલા દરેક બેડ પાસે રાખી ઓક્સિજન આપવામાં આવતું હતું. હવે દરેક બેડ સુધી ઓક્સિજન લાઈન પણ ફીટ થઇ ગઇ છે.

નરેશભાઈ દરેડ, ગીરધરભાઇ ભુવા, રમેશભાઈ હીરપરા, સંજયભાઈ વીરોજા, અલ્પેશભાઈ રૂપારેલિયા, નીતિનભાઈ ચોહલિયા, જીગ્નેશભાઈ હીરપરા, રાજ રામાણી સહિતના યુવાનો જીવની પરવા કર્યા વગર સેવા આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.